લગ્નના 8 વર્ષ બાદ છૂટાછેડા લેવા જઈ રહી છે Bigg Bossની આ વિજેતા...
જૂહી-સચિન વચ્ચે વિખવાદના સમાચાર સૌપ્રથમ વાર 2011માં આવ્યા હતા. પરંતુ કપલે તે સમયે આ સમાચારને રગિયો આપી દીધો હતો. પરંતુ હવે લાગે છે કે તેમણે છૂટા પડવાનું મન બનાવી લીધું છે. આ અંગે જૂહી અને સચિન બંનેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બંનેએ કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સચિન જૂહીના કર્મફળ દાતા શનિના લોન્ચ સમયે પણ ઉપસ્થિત નહતો. છેલ્લા એક વર્ષથી તે છૂટા રહે છે. સમૈરા જૂહી સાથે રહે છે. જૂહી ટૂંક જ સમયમાં છૂટાછેડા માટે અરજી કરશે. હવે આ બંને વચ્ચે સંધિ થાય તેવી કોઈ શક્યતા નથી.
ફેબ્રુઆરી 2009માં લગ્નના બંધને જોડાઈ જનાર જુહી પરમાર અને સચિન શ્રોફ ટૂંક જ સમયમાં ડિવોર્સ ફાઈલ કરવાના છે. તેમને ચાર વર્ષની દીકરી સમૈરા પણ છે. આ કપલની નજીકના સૂત્રોએ જણાવ્યું છે, “લગ્નના શરૂઆતના વર્ષોમાં તો બધુ બરાબર ચાલ્યું પરંતુ સમય જતા તેમની વચ્ચે સમસ્યા થવા માંડી. તેમના સંબંધોમાં દરાર પડી ગઈ અને હવે લાગી રહ્યું છે કે આ દરાર પૂરી શકાય તેમ નથી.”
નવી દિલ્હીઃ સેટ પર પ્રેમ, ઇઝહાર અને બાદમાં લગ્ન...બોલીવુડ અને ટીવી ઉદ્યોગના સેલેબ્સ માટે આ સામાન્ય વાત છે. કેટલાક સંબંધો આજીવન ટકે છે તો કેટલાક છૂટાછેડામાં ફેરવાઈ જાય છે. એક આવા જ ચોંકાવનારા સમાચાર બિગ બોસ 5ની વિજેતા ટીવી શો કુમકુમભાગ્ય ની લીડ એક્ટ્રેસ જૂહી પરમાર અને શ્રીકૃષ્ણની ભૂમિકાથી દર્શકોને આકર્ષિત કરનાર સચિન શ્રોફ સાથે જોડાયેલ રહ્યા છે. 8 વર્ષ પહેલા લગ્નના બંધંનમાં બંધાયેલ આ કપલ હવે છૂટાછેડા લેવાની સ્થિતિ પર આવી ગયા છે.