નવી દિલ્હીઃ રણબીર કપૂર એક બીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યા ચે અને હવે અહેવાલ છે કે બન્ને 2020ની શરૂઆતમાં સુધીમાં લગ્ન કરી લેશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આલિયાએ પોતાના લહંગા માટે જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યસાચીને મળવા પહોંચી હતી. બન્નેના લગ્નની ચર્ચાઓ ત્યારે વધારે થવા લાગા જ્યારે આલિયાએ જૂહુ વિસ્તારમાં 13 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ખરીદ્યું. ત્યાર બાદ જ અહેવાલ આવી રહ્યા છે કે, બન્ને ટૂંકમાં જ લગ્ન કરી શકે છે અને બન્નેના પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે.


અહેવાલ અનુસાર ઋષિ કપૂર સપ્ટેમ્બરના મહીનામાં પોતાનો ઈલાજ કરાવી ન્યૂયોર્કથી ભારત પરત ફરી શકે છે. તેમના આવ્યા પછી બંનેના લગ્નની તારીખ ફાઈનલ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે રણબીર અને આલિયાના પરિવારના લોકો લગ્નની તારીખ અને મુર્હત નક્કિ કરવા માટે પોતાના પંડિતને મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચાઓ તો બોલિવૂડથી લઈને સોશિયલ મીડિયા સુધી ફેલાયેલી છે. બંનેને હંમેશા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા દેખાય છે.