ઓમ પુરીના નિધન પર કરણ જોહરથી લઇને અનુપમ ખેરે ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

મધુર ભંડારકરે લખ્યું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમણે ઇન્ટરનેશનલ લેવલે પોતાના અભિનયનો ડંકો વગાડ્યો છે. હું સમાચાર સાંભળી દુખી છું.
નેહા ધૂપિયાએ લખ્યું કે, બોલિવૂડના મહાન કલાકારોમાંથી એકને ઇન્ડસ્ટ્રીઝે ગુમાવી દીધો છે.
રાજપાલ યાદવે પણ દુખ વ્યક્ત કર્યું હતું.
એક્ટર રિતેશ દેશમુખે લખ્યું કે, તે સમાચાર સાંભળી દુખી છું.
એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીએ લખ્યું કે, તે આ સમાચાર સાંભળી શોકમાં છું.
બોમન ઇરાનીએ લખ્યું કે, અમે તમને યાદ કરતા રહીશું ઓમ પુરી સાહબ!
અલવિદા ઓમ! આજે તારી સાથે મારી જિંદગીનો એક ભાગ ચાલ્યો ગયો. હું એ ક્ષણોને કેવી રીતે ભૂલી શકું છું જ્યારે આપણે ફિલ્મ અને લાઇફની વાતો કરતા કરતા અનેક રાતો ગુજારી છે.
નિર્દેશક કરણ જોહરે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ભારતીય સિનેમાએ એક બહેતરીન એક્ટર ખોયો છે. ઓમ પુરીને શ્રદ્ધાંજલિ
ઓમપુરીના નિધનથી દુખી અનુપમ ખેરે ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે ઓમ પુરી રહ્યા નથી. તેમના નિધનથી દુખી છું.
મુંબઇઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઓમ પુરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ઓમ પુરી 66 વર્ષના હતા. ઓમપુરીના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં ગરકાવ થઇ ગયું છે.