એક્ટ્રેસ અશ્વથી શેટ્ટી અનુસાર, જયશ્રી રામ્યા છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે. પારિવારિક મુદ્દાઓની સાથે તે પોતાના કામને લઇને ખુબ ચિંતિત છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, અશ્વિનીએ જણાવ્યુ કે કેટલીયવાર જયશ્રી રામ્યા તેને કહ્યું કે તે સારુ ફીલ નથી કરી રહી. તેને જયશ્રી રામ્યાને વિશ્વાસ અપાવ્યો કે બધુ બરાબર થઇ જશે.
અશ્વિનીના કહેવા પ્રમાણે, જયશ્રી રામ્યા પોતાનો ફોન નંબર બદલતી રહેતી હતી, એટલા માટે તેના સંપર્ક રહેવુ કઠીન થઇ ગયુ હતુ. ચાર મહિના પહેલા જ જયશ્રી પોતાના જ ઘરમાં જ જતી રહી હતી, અને તેને જણાવ્યુ કે તે પોતાના જીવનમાં આ નવા વિકાસથી ખુશ છે. થોડાક દિવસ પહેલા તેને મેસેજ કરીને કહ્યું કે બધુ બરાબર છે. પણ આજે સવારે ખબર પડી કે તે હૉસ્પીટલમાં ભરતી છે.