Adipurush Release Date: સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત એક યા બીજા કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. હવે ચાહકોનો ઇંતજાર ખતમ થયો છે. મેકર્સે 'આદિપુરુષ'ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આ વર્ષે જૂન મહિનામાં સિનેમાઘરોમાં દસ્તક આપશે.






આદિપુરુષ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે


પ્રોડક્શન હાઉસ ટી-સીરીઝના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છેજેમાં ભૂષણ કુમાર સાથે 'આદિપુરુષ'ના ડિરેક્ટર ઓમ રાઉત જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે ફિલ્મની રિલીઝ ડેટ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 3ફોર્મેટમાં 16 જૂન2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ટ્વિટર પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૂષણ કુમાર અને ઓમ રાઉત આશીર્વાદ લેવા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા છે.


'આદિપુરુષ'ની રિલીઝ ડેટ ઘણી વખત બદલાઈ


રિપોર્ટ અનુસાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ પહેલીવાર 11 ઓગસ્ટ2022ના રોજ રીલિઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલીને જાન્યુઆરી 2023 કરવામાં આવી છે. જો કે હવે તેની અંતિમ રિલીઝ ડેટ જણાવવામાં આવી છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતુંજે લોકોને પસંદ આવ્યું ન હતું. ખરાબ VFX ને કારણે ટીઝરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યું હતું.


સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે


ઉલ્લેખનીય છે કે પ્રભાસ આદિપુરુષ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. જ્યારે સની સિંહે લક્ષ્મણનો રોલ કર્યો છે અને કૃતિ સેનને સીતાનો રોલ કર્યો છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છેજેમણે અગાઉ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરનું નિર્દેશન કર્યું છે.


Raghav Chadha ના લગ્નના સમાચારો વચ્ચે Parineeti Chopraએ તોડ્યુ મૌન, શરમતા-શરમતા આપ્યુ આવુ રિએક્શન


ગઇ રાત્રે  એટલે કે 28 માર્ચ 2023ના રોજ પરિણીતી ચોપડા લગ્નના સમાચાર વચ્ચે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન અંગે પૂછપરછ કરવામાં આવી હતી.



 


Parineeti Chopra On Marriage With Raghav Chadha: બૉલિવૂડ અને રાજકારણ વચ્ચેનો સંબંધ નવો નથી. ફિલ્મ સ્ટાર્સ સિવાય ઘણી હસ્તીઓએ નેતાઓ સાથે લગ્ન કર્યા છે. સ્વરા ભાસ્કર બાદ પરિણીતી ચોપડા પણ સેટલ થવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, તે ટૂંક સમયમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે લગ્નની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે પરિણીતી ચોપડાએ લગ્નના સમાચાર પર મૌન તોડ્યું છે.


રાઘવ ચડ્ઢા સાથે લગ્નના સમાચારો પર પરિણીતી ચોપડાનું રિએક્શન  - 
ગઇ રાત્રે  એટલે કે 28 માર્ચ 2023ના રોજ પરિણીતી ચોપડા લગ્નના સમાચાર વચ્ચે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રીએ રાઘવ ચડ્ઢા સાથેના લગ્ન અંગેનુ કોઈ પણ નિવેદન આપ્યું ન હતું, પરંતુ તેણીની શરમજનક સ્માઇલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. લગ્નનો સવાલ સાંભળીને પરિણીતી શરમાઇ ગઇ અને તેની આંખો પણ ચમકી રહી હતી. એરપોર્ટ પર અભિનેત્રી સફેદ હાઈનેક સાથે બ્લેક કોટ-પેન્ટમાં ખૂબસૂરત લાગી રહી હતી.


પરિણીતી ચોપડા- રાઘવ ચડ્ઢાની સગાઇ  -
સમાચાર છે કે, પરિણીતી ચોપડાએ પણ રાઘવ સાથે સગાઈ કરી લીધી છે. AAP સાંસદ સંજીવ અરોરાએ પણ રૂમર્ડ કપલને અભિનંદન પાઠવ્યા હતા. સોશ્યલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા સંજીવે લખ્યું, “હું પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બન્નેને પ્રેમ, સુખ અને સાથીદાર બને, હું તેમને શુભેચ્છા પાઠવું છું. સંજીવના આ ટ્વીટ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે બન્ને ખરેખર એકબીજા સાથે પોતાનું આખું એકબીજા સાથે પસાર કરવાના છે.


પરિણીતી અને રાઘવના સંબંધોના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંને સતત બે ડિનર અને લંચ ડેટ પર સાથે જોવા મળ્યા. તેમની કેમિસ્ટ્રીથી અનુમાન થવા લાગ્યું કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. જો કે, લોકો બંને તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.