Malaika Arora Advice To Husbands: મલાઈકા અરોરા બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જે અવારનવાર સમાચારોમાં રહે છે. મલાઈકાની લવ લાઈફ હોય, લગ્ન હોય કે છૂટાછેડા હોય, અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા પણ પોતાના નિવેદનોને કારણે ઘણી વખત સમાચારોમાં આવી હતી. થોડા સમય પહેલા મલાઈકા તેના શો 'મૂવિંગ ઇન વિથ મલાઈકા'માં અલગ-અલગ વિષયો પર નિવેદન આપીને ચર્ચામાં હતી. આ શોમાં તેણે પોતાના લગ્ન, છૂટાછેડા, અર્જુન સાથેના સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.


મલાઈકા અરોરાએ દરેક પતિઓને આપી સલાહ


મલાઈકા અરોરાએ ભૂતકાળમાં યંગ ઈન્ડિયન્સની સાતમી નેશનલ સમિટ 'ટેક પ્રાઈઝ 2023'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે તમામ પતિઓને એક ખાસ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, "હું અહીં હાજર તમામ પુરૂષોને કહેવા માંગુ છું કે જો તમારી પત્ની અહીં તમારી સાથે ના હોય અથવા ઘરે તમારી રાહ જોતી હોય તો તમે તેની પાસે જાઓ. તેને પૂરો આદર આપો કારણ કે તમારી પત્નીનો તમારા જીવનમાં ઘણો અર્થ છે. જો તમારી પત્ની ખુશ છે તો તે તમારું જીવન વધુ સારું બનાવવા માટે તમને દરેક રીતે મદદ કરશે."


અરબાઝ-મલાઈકાના લગ્ન 19 વર્ષ પછી તૂટ્યા


આ દરમિયાન અભિનેત્રીએ અર્જુન કપૂરના વખાણ પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મલાઈકાએ 1998માં એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને અરહાન ખાનના માતા-પિતા બન્યા હતા. જોકે, બંનેનો આ સંબંધ 19 વર્ષ બાદ 2017માં સમાપ્ત થયો હતો. હવે બંને અલગ થયા બાદ પોતપોતાના જીવનમાં ખુશ છે. અર્જુન અને મલાઈકા પણ 5 વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે. આવી સ્થિતિમાં ચાહકો બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો: આદિલના હાથમાં જે વસ્તુ આવતી તે મને મારતો, હું પગ પકડી કગરતી.. Rakhi Sawantનું છલકાયું દર્દ


Rakhi Sawant New Video: રાખી સાવંત એક સાથે અનેક સમસ્યાઓથી ઘેરાયેલી જોવા મળે છે. રાખી સાવંતની માતાનું થોડા દિવસ પહેલા જ નિધન થયું હતું. તેની માતાને મગજની ગાંઠ હતી જેના કારણે તે લાંબા સમયથી સારવાર હેઠળ હતી. રાખી સાવંત તેના લગ્નને લઈને દુઃખી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રાખી સાવંતે વર્ષ 2022માં તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ હવે રાખી સાવંતે તેના પતિ આદિલ પર ઘણા આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે આદિલ લગ્નથી તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. હવે રાખી સાવંતનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે કે પોલીસ આદિલ પાસેથી સમગ્ર સત્ય બહાર કાઢશે. આદિલ સારો માણસ નથી. રાખીએ કહ્યું કે આદિલ તેને ખૂબ મારતો હતો અને તેને ખૂબ હેરાન કરતો હતો.


આદિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો


તમને જણાવી દઈએ કે આદિલ ખાનને 7 ફેબ્રુઆરીએ ઓશિવારા પોલીસ સ્ટેશનની પોલીસે રાખી સાવંતના ઘરેથી ધરપકડ કરી હતી. ત્યારપછી રાખીએ પોતે કહ્યું હતું કે આદિલ બળજબરીથી તેના ઘરે આવ્યો હતો અને વારંવાર તેને મળવાનું કહી રહ્યો હતો. રાખીએ કહ્યું હતું કે તે તેને મારવા આવ્યો હતો, જેના પછી તે ખૂબ ડરી ગઈ હતી અને તેણે પોતે આદિલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. બીજી તરફ પોલીસે આદિલને આજે અંધેરી કોર્ટમાં રજૂ કર્યો હતો. એક લેટેસ્ટ વીડિયોમાં રાખી આદિલ વિશે ઘણા ખુલાસા કરતી જોવા મળી રહી છે.


રાખીએ કહ્યું- આદિલ મને ખૂબ જ મારતો હતો


પોતાના લેટેસ્ટ વીડિયોમાં રાખી સાવંતે કહ્યું- આદિલ મને ખૂબ મારતો હતો. હાથમાં ગમે તે વસ્તુ આવે તે મારતો હતો. તે મને પણ લાત મારતો હતો. રાખીએ આગળ કહ્યું- તેના વકીલ મારા વકીલ સાથે વાત કરશે. મેં કોર્ટમાં તમામ પુરાવા આપ્યા છે. મારી પાસે આદિલ વિરુદ્ધ તમામ પુરાવા છે. તે એક છોકરી માટે મારા પર હાથ ઉપાડતો હતો.