Samrat Prithviraj Box Office: તાજેતરમાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી છે, પરંતુ તે ઓપનિંગની બાબતમાં અક્ષયની આ પહેલાની ફિલ્મ બચ્ચન પાંડે કરતાં પાછળ છે. આ વર્ષે રિલીઝ થયેલી બચ્ચન પાંડેએ પહેલા દિવસે 13.25 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે ભૂલ ભૂલૈયા 2 ને નોન-ઇવેન્ટ ફિલ્મોમાં સૌથી સારી ઓપનિંગ મળી છે, જે 14.11 કરોડ રૂપિયા હતી.


 






અક્ષયની ફિલ્મે કેટલી કમાણી કરી?
અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' શુક્રવારે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મે 10.70 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન ફિલ્મ ધીમી રહી હતી, પરંતુ સાંજ સુધીમાં તેણે ગતિ પકડી. મેટ્રો શહેરોમાં તેનો બિઝનેસ ઓછો રહ્યો, પરંતુ માસ સર્કિટમાં ફિલ્મે વધુ સારો દેખાવ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે શનિવાર અને રવિવારે તેની કમાણી વધશે, જેનાથી તેનો પ્રથમ વીકએન્ડને સારો બનશે.


 




અક્ષય કુમારે ફિલ્મને ખાસ ગણાવી


સમ્રાટ પૃથ્વીરાજ વિશે અભિનેતા અક્ષય કુમારે કહ્યું છે કે તે મારા ભારત પ્રત્યેના પ્રેમને જોડે છે, મને એવી કહાની કહેવા માટે સક્ષમ બનાવે છે જે ભારતના ઇતિહાસ અને લોકકથાઓમાં સમાયેલી છે અને દરેક દર્શકો માટે એક ફિલ્મ પણ છે. તેણે કહ્યું કે એક અભિનેતા તરીકે મને એવી કહાનીઓ જણાવવી ગમે છે જે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. તમને જણાવી દઈએ કે 'સમ્રાટ પૃથ્વીરાજ'ને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય સાથે માનુષી છિલ્લર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.