Anant-Radhika Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ કપલના આ શાહી લગ્નમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધીના તમામ સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે, બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર અનંત-રાધિકાના આ શાહી લગ્નમાં હાજરી આપશે નહીં. ચાલો જાણીએ આનું કારણ શું છે?


અનંત-રાધિકાના લગ્નમાં કેમ નહીં હાજરી આપશે અક્ષય કુમાર ?


તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સરફિરા'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ બધા વચ્ચે, અભિનેતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાજરી આપે તેવી અપેક્ષા હતી. તમને જણાવી દઈએ કે વરરાજા અનંત પોતે અભિનેતાના ઘરે તેમને આમંત્રણ આપવા ગયા હતા. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે અક્ષય કુમાર  આ ઇવેન્ટમાં ભાગ નહીં લે. વાસ્તવમાં અભિનેતાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને કારણે અક્ષય કુમાર હવે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે નહીં.


ક્રૂ ટીમના ઘણા સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો


એચટી સિટીના અહેવાલ મુજબ, પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અક્ષય કુમાર તેની તાજેતરની રિલીઝ સરફિરાનું પ્રમોશન કરી રહ્યો હતો, તે દરમિયાન તે અસ્વસ્થ લાગ્યો હતો, અને જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેની પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ સભ્યો કોવિડથી સંક્રમિત છે.  ત્યારે તેણે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. અભિનેતાનો કોવિડ ટેસ્ટ શુક્રવારે સવારે પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તે હવે અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી શકશે નહીં,  અનંત વ્યક્તિગત રીતે તેમને આમંત્રણ આપવા આવ્યો હતો.


ચોમાસાની શરૂઆતને કારણે કોવિડ -19 ફરી ઉભરી આવ્યો છે અને અક્ષય તેનાથી પ્રભાવિત ઘણા લોકોમાંનો એક છે.


અક્ષયની સરફિરા આજે રિલીઝ થઈ છે


અક્ષયની તાજેતરની રિલીઝ થયેલી સરફિરા વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 2020ની તમિલ ફિલ્મ સોરારઈ પોટરુની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ નિર્માતા સુધા કોંગારા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પરેશ રાવલ, રાધિકા મદન મહત્વની ભૂમિકામાં છે. તમિલ સુપરસ્ટાર સૂર્યા  ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સમાં છે.