નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઇએ પહેલા એસઆઇટીનુ ગઠન કરી લીધુ હતું.હવે આને લઇને સીબીઆઇ હેડક્વાર્ટરમાં બેઠક થઇ રહી છે, અને રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં સીબીઆઇમાં કાયદાકીય અધિકારીઓ પણ સામેલ છે. સીબીઆઇ હજુ મુંબઇ પોલીસના વલણ પર નજર રાખી રહી છે. સીબીઆઇને ઇન્તજાર છે કે સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મુંબઇ પોલીસ આગળ કોઇ કાયદેસરનુ પગલુ ભરે છે કે નહીં.


આ પછી સીબીઆઇ દ્વારા ગઠિત એસઆઇટીની ટીમ મુંબઇ પહોંચશે. મુંબઇ પહોંચ્યા બાદ આ ટીમ ક્રાઇમ સીનને રિક્રિએટ કરશે અને રિયા ચક્રવર્તી અને તેના પરિવારના લોકો સાથે પુછપરછ કરશે, ક્રાઇમ સીન પર એસઆઇટીની ટીમની સાથે ફોરેન્સિકની ટીમ પણ જશે.

સુપ્રીમ કોર્ટે સુશાંત કેસમાં પોતાના ફેંસલામાં કહ્યું કે, એક પ્રતિભાશાળી અભિનેતાનુ મોતનુ સત્ય બધા જાણવા માંગે છે. જ્યારે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યુ હતુ ત્યારે મુંબઇ પોલીસે એડીઆર નોંધાવી હતી. પોસ્ટમોર્ટ્મ બાદ મુંબઇ પોલીસે સંજ્ઞેય અપરાધ નહીં માનીને આ કેસની એફઆઇઆર ન હતી નોંધી.



સુપ્રીમ કોર્ટે કહ્યું કે પટનામાં નોંધાયેલી એફઆઇઆર બિલકુલ યોગ્ય છે, અને આ કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વિશેષ શક્તિ અંતર્ગત તપાસ સીબીઆઇને સોંપી રહ્યાં છીએ. હવે આ મામલા સાથે જોડાયેલી દરેક કડીઓની તપાસ સીબીઆઇ જ કરશે.