Happy Birthday Kareena Kapoor Khan: બૉલીવુડની હૉટ એક્ટ્રેસીસમાંની એક ગણાતી કરિના કપૂર ખાનનો આજે જન્મદિવસ છે, આજે 21 સપ્ટેમ્બર, 2022ના દિવસે એક્ટ્રેસ પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહી છે. કરિના કપૂર ખાન(Kareena Kapoor Khan) એવી અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. ખાસ વાત છે કે, છેલ્લા કેટલાય સમયથી હિન્દી સિનેમામાં કરિનાએ કામ કર્યુ છે અને તેને ફ્લૉપની સાથે સાથે કેટલીય હિટ ફિલ્મો પણ આપી છે. જોકે, આજકાલ તે પોતાના લગ્ન બાદ પારિવારિક જીવનને વધુ માણી રહી છે. 


કરિના કપૂર વિશે -
એક્ટ્રેસ કરિના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર, 1980ના રોજ મુંબઇમાં રણધીર કપૂર અને બબીતાના ઘરે થયો હતો, કરિના કરિશ્મા કપૂરની નાની બહેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિનાનુ નામ પુસ્તક Anna Kareninaમાંથી રાખવામાં આવ્યુ છે, જે બબિતા પ્રેગનન્સી સમયે વાંચતી  હતી. કરિનાને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. 


ખાસ વાત છે કે, બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે વર્ષ 2012માં બૉલીવુડના સ્ટાર હીરો ગણાતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. અત્યારે કરિના અને સૈફ અલી ખાનને બે બાળકો છે, એક તૈમૂર અલી ખાન અને બીજો જહાંગીર અલી ખાન. અત્યાર આખુ ફેમિલી મુંબઇમાં રહે છે, પરંતુ તેમનુ મૂળ નિવાસ પટૌડી હાઉસ છે.


કરીનાને બોલિવૂડની મીન ગર્લ પણ કહેવામાં આવે છે. જો કરીનાને કોઈ પણ સ્ટાર માટે કંઈક કહેવું હોય તો તે અચકાતી નથી. આ કારણે, તે ઘણી વખત વિવાદમાં ફસાઈ જાય છે. એટલું જ નહીં, તે ઇન્ડસ્ટ્રીની ટ્રેન્ડ સેટર પણ રહી છે. છોકરીઓમાં ઝીરો ફિગરને પ્રોત્સાહન આપવાનો શ્રેય પણ કરીનાને જાય છે. તો ચાલો તમને તેમના જન્મદિવસ નિમિત્તે કેટલીક ખાસ વાતો જણાવીએ.


કરીનાનો અભ્યાસ - 
કરીના કપૂરે મુંબઈની જમનાબાઈ સ્કૂલમાં અને બાદમાં દહેરાદૂનની વેલ્હામ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કર્યો હતો. કરીનાને શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી.


કરીના કરિયરની શરૂઆત - 
કરીનાએ પોતાના કરિયરની શરૂઆત જેપી દત્તાની ફિલ્મ 'રેફ્યુજી' થી કરી હતી. ફિલ્મ 'ચમેલી'માં તેના શાનદાર અભિનય માટે તેને ફિલ્મફેર સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો હતો. કરીનાને શરૂઆતમાં તેના અભિવ્યક્તિ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, પરંતુ પછી તેણે તેના પર કામ કર્યું અને પછી એક સફળ અભિનેત્રી તરીકે સામે આવી હતી.


કરીનાનું નામ પણ તેના અફેરના કારણે ખૂબ ચર્ચામાં હતું. કરીના અને શાહિદની લવ સ્ટોરી સમાચારોમાં હતી. કરીનાએ તો શાહિદ માટે કહ્યું કે તે કોઈને પણ મારી શકે છે. બધાને લાગતું હતું કે કરીના અને શાહિદ લગ્ન કરશે પરંતુ કોઇ કારણો સર બંન્ને અલગ થયા હતા અને બાદમાં કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા હાલ તેમના 2 બાળકો પણ છે. તૈમુર અને જેહના જેમના નામ વિશે પણ ઘણી ચર્ચા થઇ હતી.કરીના કપૂર બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. લગ્ન અને બાળકો બાદ પણ તે ઘણા મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.