Uorfi Javed-Kangana Ranaut Tweets: કંગના રનૌતની જેમ ઉર્ફી જાવેદ પણ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય મુક્તિ સાથે વ્યક્ત કરે છે. કોણે વિચાર્યું હશે કે એક દિવસ આ અભિનેત્રીઓ એકબીજા સાથે બાખડી પડશે. હાલમાં જ કંગના રનૌતે મુસ્લિમ કલાકારોને નિશાન બનાવીને એક ટ્વિટ કર્યું હતું, જેણે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ઉર્ફી જાવેદ પણ પોતાની પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા નહીં.


કંગના રનૌતે ખાન પર સાધ્યું નિશાન


'પઠાણ'ની સફળતા પર એક ટ્વિટને રીટ્વીટ કરતા કંગના રનૌતે લખ્યું હતું- ખૂબ સારું વિશ્લેષણ. આ દેશ માત્ર ખાનને પ્રેમ કરે છે અને મુસ્લિમ અભિનેત્રીઓ પ્રત્યે જુસ્સો બતાવે છે. એટલા માટે ભારત પર નફરત અને ફાસીવાદનો આરોપ લગાવવો ખોટું છે. સમગ્ર વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી. કંગના રનૌતના આ ટ્વિટ પર ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી જેમાંથી એક ઉર્ફી જાવેદ પણ હતી.




કંગનાના ટ્વીટથી ઉર્ફી નારાજ


કંગના રનૌતના ટ્વીટનો જવાબ આપતા ઉર્ફી જાવેદે કહ્યું હતું કે, કોઈપણ કલાકાર મુસ્લિમ કે હિન્દુ નથી. તે ફક્ત એક અભિનેતા છે. ઉર્ફીએ ટ્વીટ કર્યું-હે ભગવાન! આ કેવું વિભાજન છે. મુસ્લિમ કલાકારો, હિન્દુ કલાકારો. કળા ધર્મ દ્વારા વિભાજિત થતી નથી. તેઓ માત્ર અભિનેતાઓ છે. ઉર્ફી જાવેદના આ નિવેદન બાદ કંગના રનૌતે તેને જવાબ આપ્યો હતો.




કંગનાએ ઉર્ફીને આપ્યો જવાબ 


કંગનાએ અન્ય ટ્વિટમાં ઉર્ફી જાવેદને જવાબ આપ્યો હતો. કંગનાએ લખ્યું હતું - હા મારી પ્રિય ઉર્ફી આ એક આદર્શ વિશ્વ હશે પરંતુ જ્યાં સુધી આપણી પાસે સમાન નાગરિક સંહિતા નથી, ત્યાં સુધી તે શક્ય નથી. જ્યાં સુધી આ દેશ બંધારણમાં વિભાજીત નહીં થાય ત્યાં સુધી તે વિભાજિત રહેશે. ચાલો આપણે બધા 2024ના મેનિફેસ્ટોમાં નરેન્દ્ર મોદીજી પાસેથી સમાન નાગરિક સંહિતાની માંગ કરીએ.


Shah Rukh Khanના 'પઠાણ'નું નામ બદલવા માંગે છે કંગના રનૌત, કહ્યું- 'અહીં ગુંજશે તો ફક્ત જય શ્રી રામ’


કંગના રનૌતે ટ્વિટર પર કમબેક કર્યાને થોડા જ દિવસ થયા છે અને અભિનેત્રી ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. શુક્રવારે તેણે કેટલાક ટ્વીટ્સ પોસ્ટ કર્યા જેમાં તેણે દાવો કર્યો કે ભલે શાહરૂખ ખાનની 'પઠાણ' સફળ થાય. પરંતુ દેશ હજી પણ 'જય શ્રી રામ' ના નારા જ લગાવશે. કંગનાએ કહ્યું કે તે 'ભારતનો પ્રેમ અને સમાવેશ' છે જે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને જબરદસ્ત સફળતા આપી રહી છે.


'પઠાણ' માત્ર એક જ ફિલ્મ, ગુંજશે તો માત્ર 'જય શ્રી રામ'


કંગનાએ દાવો કર્યો હતો કે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ "આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને ISISને સારી રીતે બતાવે છે". અભિનેત્રીએ ISIS માં સુધારો કર્યો અને પછી ISI લખી. તેણીએ વધુમાં કહ્યું, "તે ભારતની ભાવના અને ચુકાદાથી પરે છે જે તેને મહાન બનાવે છે...તે ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નફરત અને નીચતા પર કાબુ મેળવ્યો છે." રાજનીતિ પર જીત મેળવી..." તેના ફોલો-અપ ટ્વિટમાં લખ્યું હતું, "પરંતુ જે લોકો ઉચ્ચ અપેક્ષાઓ રાખી રહ્યા છે તેઓ કૃપા કરીને નોંધ લો... પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે... ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રીરામ..."