Sidharth Malhotra Kiara Advani Wedding Updates: બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીના રોજ સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરશે, જે ભારતમાં લગ્નના ટોચના સ્થળોમાંનું એક છે. પોતાના જીવનના આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે કપલે રાજસ્થાનના સુંદર સૂર્યગઢ પેલેસની પસંદગી કરી છે. સિદ્ધાર્થ અને કિયારા 3 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરવા જઈ રહ્યા છે. દેશના ટોપ-15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ હોટેલ સૂર્યગઢનું 4 થી 8 ફેબ્રુઆરી માટે બુકિંગ કરવામાં આવ્યું છે.


Sidharth Kiara Wedding Mehndi : કિયારાના હાથમાં લાગી સિદ્ધાર્થના નામની મહેંદી


કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. અહેવાલો અનુસાર 5 ફેબ્રુઆરીએ દંપતીની મહેંદી સેરેમની પેસેલમાં ખૂબ ધામધૂમથી થઈ હતી. કિયારાના હાથમાં સિદ્ધાર્થના નામની મહેંદી મૂકવામાં આવી હતી.


Sidharth Kiara Wedding Sangeet: કરણ અને શાહિદ ડોલા રે ડોલા પર ડાન્સ કરશે?


કોફી વિથ કરણ સીઝન 7 ના એક એપિસોડમાં કિયારા તેના કબીર સિંહ કો-સ્ટાર શાહિદ કપૂર સાથે શોમાં જોવા મળી હતી. ત્યાં, કરણે કિયારા સાથેના તેના લગ્ન વિશે વાત કરી અને દેવદાસ ફિલ્મના ગીત 'ડોલા રે ડોલા' પર તે અને શાહિદ કેવી રીતે માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયની જેમ પરફોર્મ કરશે.


આજે સંગીતમાં થશે ખૂબ મસ્તી 


6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારાના મહેમાનો અને નજીકના મિત્રો માટે વેલકમ લંચનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ખૂબ જ મસ્તી થશે. આ પછી સાંજે સિદ્ધાર્થ અને કિયારાનો સંગીતનો કાર્યક્રમ હશે, જેમાં વરરાજા અને દુલ્હન પરિવાર અને મહેમાનો સાથે ડાન્સ કરશે.


મેક-અપ આર્ટિસ્ટ સ્વર્ણલેખા ગુપ્તા કિયારાને તૈયાર કરશે


મેકઅપ આર્ટિસ્ટ સ્વર્ણલેખા ગુપ્તા કિયારાને બ્રાઈડલ લુક આપશે. ગુપ્તા શનિવારે સાંજે અન્ય મેક-અપ કલાકારો સાથે જેસલમેર જવા રવાના થયા હતા. કિયારાની માતા અને તેના પરિવારના અન્ય સભ્યો માટે મેક-અપ આર્ટિસ્ટની બીજી ટીમ જેસલમેર પહોંચી છે. કિયારાના હેરસ્ટાઈલિસ્ટ અમિત ઠાકુર પણ પોતાની ટીમ સાથે જેસલમેર પહોંચી ગયા છે.


સિદ્ધાર્થ મલ્હોત્રાની દાદીએ દંપતીને આશીર્વાદ આપ્યા


સિદ્ધાર્થ મલ્હોત્રાની દાદી પણ તેની પૌત્રના લગ્નમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેની દાદી કપલને આશીર્વાદ આપતા જોવા મળી રહી છે


Sidharth Kiara Honeymoon Plans: કિયારા સાથે લગ્ન પછી સિદ્ધાર્થના હનીમૂન પ્લાન્સ શું છે?


અહેવાલો અનુસાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તરત જ હનીમૂન માટે જતા નથી કારણ કે બંને પરિવારોમાં વિધિઓ ચાલી રહી છે. સૂર્યગઢથી પાછા આવ્યા પછી, દંપતીએ લગ્ન પછી તરત જ પંજાબી અને સિંધી પરિવારોની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવી પડશે. આ સિવાય સિદ્ધાર્થે કામ સાથે જોડાયેલા કમિટમેન્ટ્સ પૂરા કરવાના છે.