Malaika Arora Post: મલાઇકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મલાઇકા અને અર્જુનના બ્રેકઅપની ખબરો ઘણા લાંબા સમયથી આવી રહી છે. પરંતુ બંને માંથી કોઈએ જાહેરમાં બ્રેકઅપ વિશે વાત કરી નથી. અર્જુન કપૂરના જન્મદિવસ પર પણ મલાઇકાએ સોશિયલ મીડિયા પર તેને વિશ કર્યું નથી. રિપોર્ટનું માનીએ તો મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ ઘણા મહિના પહેલા થયું હતું અને તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું છે કે લોકોને કેવી રીતે નોટિસ કરવા જોઈએ.


મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે પરંતુ હવે તે બંને અલગ થઈ ગયા હોવાની ચર્ચા છે. બંને ઘણા મહિનાઓથી અલગ-અલગ જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બંને એક વાર પણ સાથે જોવા મળ્યા નથી.


મલાઈકાની આ પોસ્ટ વાયરલ થઈ હતી
મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિચાર શેર કર્યો છે. જેમાં તેને લખ્યું છે - 'હંમેશા એ લોકો પર ધ્યાન આપો જે તમારી ખુશીમાં ખુશ હોય અને તમારા દુઃખમાં દુઃખી હોય. આવા લોકો તમારા હૃદયમાં વિશેષ સ્થાનના હકદાર છે. મલાઈકાએ આ પોસ્ટમાં કોઈનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે તેના અને અર્જુનના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે ત્યારે તેણે આ પોસ્ટ શેર કરી છે.       


                           



બંનેએ એકબીજાની અવગણના કરી હતી
મલાઈકા અરોરા અર્જુન કપૂરના જન્મદિવસની પાર્ટીમાં પણ જોવા મળી ન હતી. તેના તમામ મિત્રો અર્જુનની મિડનાઈટ બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા પરંતુ મલાઈકા ત્યાં નહોતી. ન તો તેણે સોશિયલ મીડિયા પર અર્જુનને શુભેચ્છા પાઠવી હતી. અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંનેએ એક ઈવેન્ટમાં હાજરી આપીને એકબીજાની અવગણના કરી.                 


મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. જે બાદ બંને સોશિયલ મીડિયા પર પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરતા રહ્યાં.


આ પણ વાંચો : આ અભિનેત્રીએ ખાધો પતિનો માર, બે વાર લગ્ન તૂટ્યા, હવે આ રીતે દિવસો પસાર કરી રહી છે