Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui: બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ સિદ્દીકીની પર્સનલ લાઈફ સારી નથી ચાલી રહી. તેની અને તેની બીજી પત્ની વચ્ચેના અણબનાવના સમાચાર હેડલાઇન્સમાં છે. ત્યારે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીના વકીલે આરોપ લગાવ્યો છે કે અભિનેતા અને તેના પરિવારના સભ્યોએ ગયા અઠવાડિયે તેમના ક્લાયંટ આલિયા સિદ્દીકીને સુવા માટે બેડ અને નહાવા માટે બાથરૂમ આપ્યું નથી કે ના કોઈ વસ્તુનો ઉપયોગ કરવા દે છે.


આલિયાને ઘરમાંથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા


રિઝવાન સિદ્દીકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના સભ્યોએ મારા ક્લાયન્ટ આલિયા સિદ્દીકીને ઘરમાંથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કર્યા છે. ધમકી આપવામાં આવી રહી છે અને તેના ક્લાઈન્ટને દરરોજ સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે."


પોલીસે મદદ ના કરી 


રિઝવાન સિદ્દીકીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "હું પોલીસ વિભાગની કાર્યવાહી અને નિષ્ફળતાઓને સીધી રીતે તેમને જવાબદાર ઠેરવવા માંગતો નથી, પરંતુ હકીકત એ છે કે મારા અસીલના અધિકારોની રક્ષા કરવા માટે કોઈ પોલીસ અધિકારી ક્યારેય આગળ આવ્યા નથી." પોલીસ અધિકારીઓની સામે અપમાન કરવામાં આવે છે." વકીલે વધુમાં કહ્યું કે પોલીસ અધિકારી સમક્ષ માત્ર નવાઝુદ્દીન સિદ્દીકી સાથેના તેના સંબંધો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, એટલું જ નહી સગીર પુત્રની કાયદેસરતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસ અધિકારીએ મારા અસીલ દ્વારા IPCની કલમ 509 હેઠળ આપેલી લેખિત ફરિયાદ પર કાર્યવાહી કરી ન હતી."


નવાઝુદ્દીનનો પરિવાર આલિયાને પરેશાન કરી રહ્યો છે: વકીલ 


વકીલે વધુમાં જણાવ્યું હતું કે, "નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારના સભ્યોએ છેલ્લા સાત દિવસમાં મારા અસીલને ભોજન, પલંગ અને સ્નાન માટે બાથરૂમ આપ્યા નથી. તેઓએ મારી અસીલ જ્યાં તેના નાના બાળકો સાથે રહે છે ત્યાં બોડીગાર્ડ અને સીસીટીવી કેમેરા લગાવ્યા છે.


નવાઝુદ્દીન અને પરિવાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે


વકીલે કહ્યું, "આ બધા સિવાય નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારે એ પણ સુનિશ્ચિત કર્યું કે હું તેમની સામે યોગ્ય કોર્ટ કેસ કરવા માટે મારા અસીલની સહી ન મેળવી શકું. અનેક સ્તરે અટકાવવા અને ધમકીઓ આપવા છતાં કોઈ પોલીસ અધિકારી આવ્યા નથી." તેણે કહ્યું કે મારા ક્લાયન્ટની મદદથી, મારી ટીમ અને હું કોર્ટ કેસ માટે મારા ક્લાયન્ટની સહી મેળવી શક્યા છીએ. આવી સ્થિતિમાં હવે અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.


આલિયાએ હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો


તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આલિયાએ દાવો કર્યો હતો કે નવાઝુદ્દીનની માતાએ તેની સામે પ્રોપર્ટીના વિવાદ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તેના ઘરે તેને હેરાન કરવામાં આવી રહી છે. આલિયા હાલ નવાઝુદ્દીનના અંધેરીના ઘરમાં રહે છે. પાસપોર્ટની સમસ્યાને કારણે આલિયા તેના બાળકો અને શોરા સાથે દુબઈથી પરત ફરી હોવાના અહેવાલ છે.