મુંબઈ: મહાનાયત અમિતાભ બચ્ચનની કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાના અહેવાલનાને બિગ બીએ નકારી દીધો છે. અને તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, “આ ખોટા સમચાર છે, બિનજવાબદાર, ફેક, અસંશોધનીય જૂઠ. ”
અમિતાભ બચ્ચને મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવાનો નકારી દીધો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.



ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી સંક્રમિત અમિતાભ બચ્ચન 11 જુનથી  મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના લક્ષણો દેખાતા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાને સામાન્ય લક્ષણો દેખાતા હૉમ ક્વૉરન્ટાઇન કરાયા હતા. બાદમાં ઐશ્વર્યા અને આરાધ્યાને શરદી-ઉધરસ વધતા તેમને પણ પછીથી હૉસ્પીટલાઇઝ કરાવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર, હાલ ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત પણ ઠીક છે.