Why Jaya Bachchan Often Appears Annoyed With Paps:  જયા બચ્ચનના આવા ઘણા વીડિયો છે જેમાં તે ગુસ્સામાં જોવા મળે છે. હવે તેના ગુસ્સાનું કારણ પાપારાઝી માનવ મંગલાનીએ જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે જયા બચ્ચન શા માટે આવી પ્રતિક્રિયા આપે છે.


તાજેતરમાં માનવ મંગલાનીએ એલિના ડિસેક્ટ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે જયા મીડિયા સાથે બહુ જોડાયેલી નથી. તેણે કહ્યું, તેઓ મીડિયાથી એટલા ટેવાયેલા નથી. તેમના દિવસોમાં ભાગ્યે જ એવા લોકો હતા જેઓ અત્યંત સરળતા સાથે વર્તતા હતા. પણ હવે એવું નથી. હવે મીડિયા ઘણું મોટું થઈ ગયું છે.


જયા બચ્ચનને ક્યારે તકલીફ પડે છે?
માનવે વધુમાં કહ્યું, જયા બચ્ચન જ્યારે પ્રેસ કોન્ફરન્સ કે ફિલ્મ પ્રીમિયરમાં હોય ત્યારે તેમને કોઈ સમસ્યા નથી હોતી. પરંતુ જ્યારે બધું અચાનક થાય છે ત્યારે તેમને એક સમસ્યા આવે છે. તે ચોંકી જાય છે. આટલા બધા લોકો અહીં કેવી રીતે આવી ગયા? અમે તો ફક્ત ડિનર માટે નિકળ્યા હતા.






જયા બચ્ચનની પોતાની જીવન જીવવાની એક અલગ પદ્ધતિ છે
માનવે વધુમાં એમ પણ કહ્યું કે, જયા બચ્ચન રમુજી વાતો પણ કરે છે. તે પેપ્સને કેમેરા એંગલ પણ બતાવે છે, તમે નીચે ક્યાથી ફોટો ક્લિક કરી રહ્યા છો, આ એંગલથી લો. તે મીડિયાના જાણકાર નથી. તેમને બસ કેટલીક ખાસ ચેનલના ચારથી પાંચ લોકોની આદત છે. માનવે કહ્યું કે, જયા બચ્ચનની જીવન જીવવાની પોતાની પદ્ધતિ છે. તમને જણાવી દઈએ કે,  જયા બચ્ચન ઘણીવાર તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે જોવા મળે છે. તે ઘણીવાર મુંબઈમાં પ્રીમિયર અને અન્ય ઈવેન્ટ્સમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે.


જયા બચ્ચનનું વર્ક ફ્રન્ટ
જયા બચ્ચન છેલ્લે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી રાની કી પ્રેમ કરની'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના સિવાય ધર્મેન્દ્ર, શબાના આઝમી જેવા કલાકારોએ પણ સ્ક્રીન શેર કરી હતી.


આ પણ વાંચો...


GOAT OTT Release: ઓટીટી પર અનકટ રિલીઝ થશે 'ગૉટ', જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકશો વિજયની એક્શન થ્રિલર