નવી દિલ્હીઃ બિગ બૉસ 9 અને રોડીઝ વિજેતા રહે ચૂકેલો પ્રિન્સ નરુલાને તાજેતરમાં જ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે, પ્રિન્સ નરુલા અને તેની પત્નીને ડેન્ગ્યૂ થયા બાદ ભરતી કરાવવામાં આવ્યા હતા, વળી, હવે પ્રિન્સ નરુલા અને તેની પત્ની યુવિકા ચૌધરીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે ડેન્ગ્યૂ પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા.


ડેન્ગ્યૂથી સંક્રમિત થયા બાદ પ્રિન્સ નરુલા અને તેની પત્ની યુવિકા ચૌધરી પોતાનો ઇલાજ કરાવી રહ્યાં છે. ઇટાઇમ્સની સાથે થયેલી વાતચીત દરમિયાન યુવિકાએ જણાવ્યુ કે, તેને ડેન્ગ્યૂના સંક્રમણથી પહેલા કોરોનાનુ સંક્રમણ થયુ હતુ. વળી, આના પર બોલતા પ્રિન્સ નરુલાએ કહ્યું કે, કોરોના સંક્રમણથી તેને વધુ પરેશાની નથી થઇ.



પ્રિન્સ નરુલાનુ કહેવુ છે કે તેનામાં કોરોનાના કોઇપણ લક્ષણો નથી મળ્યા, તેની સાથે તેમને જણાવ્યુ કે, તે 21 દિવસો સુધી આઇસૉલેશનમાં રહ્યો અને સાથે બહાર જતા પહેલા બે વાર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં નેગેટિવ આવ્યો હતો.



તાજેતરમાં જ પોતાના લગ્નના સાલગિરહ પર પ્રિન્સ અને યુવિકાએ ઇન્સ્ટા પર એક લાંબી પૉસ્ટ શેર કરી હતી, તેને કેટલાક તસવીરો પણ શેર કરી હતી.