Raghav Chadha On Parineeti Chopra: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં છે. કપલે 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. ત્યારે ચાહકો આ પ્રેમાળ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં પરિણીતી અને રાઘવ તેમના જીવનનો સૌથી સુંદર સમય માણી રહ્યા છે. લગ્ન પહેલા તેઓ એકબીજા સાથે મસ્તીભરી પળો પણ વિતાવી રહ્યા છે. આ બધાની વચ્ચે AAP નેતા રાઘવ ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.






પરિણીતી સાથેની સગાઈ પછી રાઘવ ચઢ્ઢાનું જીવન કેવી રીતે બદલાઈ ગયું


ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેની પોતાની સગાઈ વિશે વાત કરી હતી. આ દરમિયાન રાજનેતાએ એ પણ ખુલાસો કર્યો કે પરિણીતી સાથે સગાઈ કર્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. તેણે કહ્યું કે પરિણીતી સાથે સગાઈ કર્યા બાદ તેના મિત્રો અને સહકર્મીઓ તેને થોડી ચીડવે છે.


રાઘવ -પરિણીતી જલ્દી કરશે લગ્ન 


રાઘવે કહ્યું, "ઠીક છે, મને લાગે છે કે આપણે આ વાતચીતને રાજકીય ગઠબંધન સુધી સીમિત રાખવી જોઈએ ના કે વ્યક્તિગત ગઠબંધનો સુધી. પરંતુ હા મારા સહયોગી, પાર્ટીના સાથીદારો અને મારા સિનિયર હવે થોડો ઓછો ચીડવે છે. પહેલા તેઓ મને લગ્ન માટે કહેતા હતા. હવે તેઓ મને ઓછું ચીડવે છે. કેમ કે તેઓ જાણે છે કે હું બહુ જલ્દી લગ્ન કરવાનો છું. હવે આનાથી વધુ તો તમને જાણકારી નહિ મળી શકે. કેમ કે અહી આપણે પાર્ટી વિશે વાત કરીએ તો એ વધુ સારું રહેશે.


રાઘવ-પરિણીતીના લગ્ન ક્યારે થશે?


રાઘવ અને પરિણીતી ટોક ઓફ ધ ટાઉન રહે છે. આ કપલના લગ્નની વાત કરીએ તો એવા અહેવાલો છે કે આ કપલ ઓક્ટોબરમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપલે ગુરુગ્રામમાં રિસેપ્શનની તૈયારીઓ કરી લીધી છે. જોકે, અત્યાર સુધી પરિણીતી અને રાઘવ દ્વારા તેમના લગ્નને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.