Alia Bhatt Ranbir Kapoor Wedding: આખરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાત જનમના બંધનમાં બંધાઈ ગયા છે. ઘમા સમયથી તેમના લગ્નની તારીખોને લઈને અટકળો ચાલતી હતી. હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બન્નેએ સાત ફેરા લીધા છે.


 




આલિયા ભટ્ટની મહેંદીની તસવીર વાયરલ


13 એપ્રિલના રોજ આલિયા ભટ્ટની મહેંદી અને પીઠીની વિધિ કરવામાં આવી હતી. જો કે તેની તસવીરો હજી સુધી સામે આવી નથી. જો કે આ બધાની વચ્ચે આલિયાની એક થો બેક તસવીર વાયરલ થઈ રહી છે જેમા ફેમસ મહેંદી આર્ટિસ્ટ વીના નાગદા સાથે જોવા મળી રહી છે.


નીતુ કપૂરે કરી હતી મીડિયા સાથે વાતચીત


રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે  રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્ન કરવાના છે. નીતુ કપૂરે કહ્યું કે 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે. નીતુ કપૂરને આલિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે. નીતુ કપૂર બાદ રિદ્ધિમાએ કહ્યું કે આલિયા ખૂબ જ ક્યૂટ છે. તે ઢીંગલી જેવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ એકદમ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે આલિયા અને રણબીર પ્રથમવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રણબીર એક અઠવાડિયાનો બ્રેક લેશે ત્યારબાદ તે મનાલી નીકળી જશે. મનાલીમાં એક્ટરની અપકમિંગ ફિલ્મ એનિમનનુ બે દિવસનુ શૂટ છે. વાત કરીએ એક્ટ્રેસ આલિયા ભટ્ટની તો રણવીર સિંહની સાથે આવનારી પોતાની ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીના એક સૉન્ગના શૂટિંગના સિલસિલામાં અઠવાડિયા સુધી આલિયા સ્વિત્ઝર્લેન્ડ જશે. રિપોર્ટ પ્રમાણે, રણબીર કપૂર પણ આલિયા ભટ્ટની સાથે સ્વિત્ઝર્લેન્ડ જશે, વળી, રણબીર કપૂર આ પછી ફિલ્મ મેકર લવ રંજનની એક અપકમિંગ ફિલ્મનુ શૂટિંગ મુંબઇમાં જ કરશે, આ ફિલ્મમાં રણબીરની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.