Ranbir Kapoor On Raha: આ દિવસોમાં રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ 'તુ જુઠી મેં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વ્યસ્ત શિડ્યુલમાં તેને તેની દીકરી રાહાની યાદ પણ આવી રહી છે. હાલમાં જ એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન રણબીરે જણાવ્યું કે પિતા બન્યા બાદ તેની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે. રણબીરે પિતા તરીકેની તેની નવી ભૂમિકા વિશે વાત કરી અને તેની પુત્રી રાહા વિશે પણ વાત કરી.


વ્યસ્ત સિડયુઅલમાં રણબીરને આવી દીકરી રાહાની યાદ 


રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ 6 નવેમ્બરના રોજ પુત્રી રાહાના માતા-પિતા બન્યા હતા. ઈવેન્ટમાં રણબીરને તેની દીકરી રાહા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે તેમની પુત્રીનો જન્મ ક્યારે થયો અને તે કેમ કામ કરવા નહોતો માંગતો, હંમેશા તેની સાથે ઘરે રહેવા માંગતો હતો. રણબીરે કહ્યું, "મેં વિચાર્યું કે બીજું શું નવું થશે, મારી અડધી જીંદગી પૂરી થઈ ગઈ છે... હું પરિણીત છું... પરંતુ મને લાગ્યું જે ક્ષણે મારા બાળકનો જન્મ થયો. રાહાનો જન્મ થયો. તે એક અલગ જ ફિલિંગ હતી. મે મારા જીવનમાં ક્યારેય આવું મહેસૂસ નહોતું કર્યું. અને આ એક સાચો આનંદ છે. તમે જાણો છો કે હું બસ હવે ઘરે રહેવા માગું છું. હું ફક્ત તેની સાથે રહેવા માંગુ છું. મને કામ નથી કરવું. હું આ અહેસાસને સમજાવી નહિ શકું, આ અહેસાસ દુનિયાનો સૌથી સારો અહેસાસ છે. 






'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ લવ રંજન દ્વારા નિર્દેશિત, 'તુ જૂઠી મેં મક્કાર'માં પહેલીવાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે. આ સિવાય ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ તેમાં જોવા મળશે. આ અંગે રણબીરે (Ranbir Kapoor)કહ્યું હતું કે રોમ-કોમ જોનરમાં આ તેની છેલ્લી ફિલ્મ હશે કારણ કે તે વૃદ્ધ થઈ રહ્યો છે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થવાની છે.