Ranbir Kapoor Life Changes After Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવુડની સુંદર જોડીમાંની એક જોડી છે. લાંબા અફેર બાદ રણબીર અને આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. બંનેની પ્રેમ કહાનીની શરુઆત બ્રહ્માસ્ત્ર ફિલ્મના સેટ પરથી જ શરુ થઈ હતી. 5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયાએ લગ્ન કર્યા છે. હવે રણબીરે પોતાના લગ્ન બાદ જિંદગીમાં આવેલા બદલાવ અંગે માહિતી શેર કરી છે.


એક મીડિયા પોર્ટલને આપેલા એક ઈન્ટરવ્યુંમાં રણબીરે જણાવ્યું કે, આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ તેમની જિંદગી કેવી થઈ ગઈ છે. રણબીર કપૂરે કહ્યું કે, એટલો મોટો બદલાવ નથી આવ્યો. અમે વિચાર્યું હતું કે લગ્ન કરી લઈશું તો અમે કરી લીધાં. અમારા કેટલાંક વચનો પણ હતાં. લગ્નના આગળના દિવસે જ અમે બંને કામ પર નિકળી ગયા. આલિયા પોતાના શૂટિંગ માટે નિકળી ગઈ અને હું પણ મનાલી જવા નિકળી ગયો હતો. જ્યારે તે લંડનની પરત આવશે અને મારી ફિલ્મ શમશેરા રીલીઝ થશે ત્યાર પછી અમે એક અઠવાડીયાની રજા લેવાનું વિચારી રહ્યા છીએ. અમને અત્યારે પણ એવું નથી લાગતું કે અમે લગ્ન કરી લીધાં છે.


હોલીવુડ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે આલિયાઃ
લગ્નના બીજા દિવસે જ રણબીર અને આલિયા પોતાના વ્યવસાયિક કામો પુરાં કરવા માટે નિકળી પડ્યા હતા. આલિયા ભટ્ટ હોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ની શૂટિંગ માટે રવાના થઈ ગઈ અને રણબીર સંદીપ રેડ્ડી વાંગાની આગામી બોલીવુડ ફિલ્મ એનિમલ માટે મનાલી પહોંચી ગયો હતો. 


હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું નથી કોઈ સપનુંઃ
જ્યારે રણબીરને તેની પત્ની આલિયાની જેમ હોલીવુડમાં કરિયર બનાવવા માટેની ઈચ્છાઓ વિશે પુછવામાં આવ્યું તો, રણબીરે કહ્યું કે, મારી પાસે હોલીવુડને લઈ કોઈ સપનું નથી. મારી પાસે ફક્ત બ્રહ્માસ્ત્રનાં (Brahmāstra) સપનાં છે. હું જ્યાં છું ત્યાં જ ખુશ છું.