Rani Mukerji On Aditya Chopra: પોતાના અભિનય માટે જાણીતિ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી રાની મુખર્જી અને નિર્માતા આદિત્ય ચોપરા બોલિવૂડના લોકપ્રિય કપલમાંનું એક છે. બંને પોતાના સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરે છે. આદિત્ય ચોપરા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે રાની ઘણીવાર એક યા બીજી ઇવેન્ટમાં જોવા મળે છે. થોડા સમય પહેલા રાનીએ પતિ આદિત્ય સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.



નેહા ધૂપિયાના ચેટ શો BFF વિથ વોગમાં રાની મુખર્જીએ કહ્યું હતું કે, તે પતિ આદિત્ય ચોપરાને કોસે છે અને તેને ગાળો પણ આપે છે. જોકે તેણે કહ્યું હતું કે, તે તેના પતિને પ્રેમથી કોસે છે.

રાની મુખર્જીએ પતિ આદિત્ય ચોપરાને શ્રાપ આપ્યો

શોમાં નેહા ધૂપિયા રાની મુખર્જીને પૂછે છે, શું તે પતિ આદિત્ય સાથે લડે છે? જવાબમાં તેણીએ કહ્યું હતું કે, હા હું કરું છું. હું દરરોજ મારા પતિને શાપ આપું છું. હું મારા પતિને રોજેરોજ અપમાનિત કરું છું, પરંતુ તે એવા પ્રેમાળ કામો કરે છે કે હું તેને પ્રેમથી શાપ આપું છું. મારા કુટુંબમાં જ્યારે આપણે કોઈને શાપ આપીએ છીએ, ત્યારે આપણે પ્રેમથી શાપ આપીએ છીએ. અમે ધિક્કારથી શાપ નથી આપતા. જો હું કોઈને શ્રાપ આપું છું, તો તેનો અર્થ એ છે કે હું ખરેખર તે વ્યક્તિને ખૂબ પ્રેમ કરું છું.

દીકરી આદિરા માટે આ જ ઉછેર ઈચ્છે છે રાની

આ ઉપરાંત રાની મુખર્જીએ દીકરી આદિરા વિશે વાત કરી હતી. તે ઈચ્છે છે કે તેની પુત્રી સ્ટાર કિડ હોવા છતાં અન્ય લોકોની જેમ સામાન્ય રીતે મોટી થાય. રાનીએ કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે આદિરા સામાન્ય રીતે મોટી થાય. તમે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કર્યા વિના અયોગ્ય અને અનિચ્છનીય આકર્ષણ મેળવો છો. હું ઇચ્છું છું કે, આદિરા સાથે શાળામાં અન્ય બાળકોની જેમ જ વ્યવહાર કરવામાં આવે. આદિત્ય અને હું નથી ઈચ્છતા કે તેનો સતત ફોટો પડતો રહે.

રાની મુખર્જીની એક્ટિંગના વખાણ

નોંધપાત્ર છે કે, રાની મુખર્જીની તાજેતરની રિલીઝ મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મમાં રાની મુખર્જીની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હવે ફેન્સ અભિનેત્રીની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.