'તાનાજી- ધ અનસંગ વૉરિયર'માં સૈફ અલી ખાન ઉદયભાન રાઠોડની ભૂમિકા નિભાવી રહ્યો છે, જ્યારે અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં છે.
સૈફ અલી ખાને એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, 'તાનાજી' ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, મેકર્સ દ્વારા છેડછાડ કરાઇ છે. સૈફે કહ્યું કે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યુ છે તે ઇતિહાસ નથી અને આ સમાજ માટે ખતરનાક છે. હું કેટલાક કારણોસર સ્ટેન્ડ ના લઇ શક્યો, કેમકે હું ઉદયભાનની ભૂમિકા નિભાવવા માટે ખુબ ઉત્સાહિત હતો. જો લોકો એમ કહે કે આ ઇતિહાસ છે તો તે ખોટી વાત છે.
સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, 17મી સદીમાં મરાઠા યોદ્ધા સ્વરાજ માટે લડી રહ્યાં હતા, તે સમયે હું માનુ છુ કે અંગ્રેજોના આવ્યા પહેલા ભારત જેવો કોઇ કન્સેપ્ટ જ ન હતો.
સૈફે કહ્યું કે, આવી ફિલ્મો માત્ર કમાણી માટે હોય છે, એક એક્શન થ્રિલર હોય છે, પણ આવી ફિલ્મો બનાવવી સમાજ માટે વધુ ખતરનાક છે.