Shreyas Talpade Health: અભિનેતા શ્રેયસ તલપડેને ગુરુવારે હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી, જે બાદ હવે તેની સ્થિતિ સ્થિર હોવાનુ સામે આવ્યુ છે. હવે એક્ટર બોબી દેઓલે શ્રેયસના સ્વાસ્થ્ય વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે લગભગ 10 મિનિટ સુધી અભિનેતાનો શ્વાસ બંધ થઈ ગયો હતો.




બોલિવૂડ હંગામા સાથે વાત કરતા,  બોબી દેઓલે કહ્યું કે તેણે શ્રેયસની પત્ની દીપ્તિ તલપડે સાથે વાત કરી તેણે જણાવ્યું કે શ્રેયસનું હૃદય દસ મિનિટ માટે બંધ થઈ ગયું હતું. તેમણે કહ્યું, 'મેં હમણાં જ તેની પત્ની સાથે વાત કરી. તે ખૂબ જ પરેશાન હતી. તેમનું હૃદય લગભગ દસ મિનિટ માટે બંધ થઈ ગયું હતું. તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને ડોકટરોએ તેમને ફરીથી જીવન આપ્યું છે.  બસ પ્રાર્થના કરો કે તે સ્વસ્થ થઈ જાય.


પત્ની દીપ્તિએ જણાવ્યું હતું કે શ્રેયસની તબિયત કેવી છે


તમને જણાવી દઈએ કે આ પહેલા શ્રેયસ તલપડેની પત્ની દીપ્તિએ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતી વખતે તેણે શ્રેયસની સ્થિતિ સ્થિર હોવાની વાત કરી હતી. દીપ્તિએ લખ્યું, 'મારા પતિની ખરાબ તબિયતના સમાચાર સાંભળ્યા પછી તમે જે રીતે મને સપોર્ટ કર્યો તેના માટે હું તમારા બધાની આભારી છું. મને એમ કહીને રાહત થાય છે કે તેમની તબિયત હવે સ્થિર છે અને તેમને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.


દીપ્તિએ આગળ લખ્યું, 'આ સમય દરમિયાન તબીબી ટીમની સારવાર અને સમયસર પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને અમે તેમના આભારી છીએ. તમે બધા અમારી પ્રાઈવેસીનું ધ્યાન રાખો. તેમની રિકવરી ચાલુ છે. આવા સમયે તમારો સાથ અમને હિંમત આપે છે. 


શ્રેયસ ઘણી મોટી હિન્દી ફિલ્મોનો ભાગ રહ્યો છે. તે મરાઠી સિનેમામાં પણ જાણીતું નામ છે. તેણે ઈકબાલ, ઓમ શાંતિ ઓમ, ગોલમાલ રિટર્ન્સ, હાઉસફુલ 2 જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. અભિનેતાની  કંગના રનૌત સાથે ઇમરજન્સી ફિલ્મ પણ ટૂંક સમયમાં આવી રહી છે.