Sidharth Malhotra Reaction On Marriage Rumours: 'શેરશાહ' કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી બોલિવૂડમાં ચાલી રહ્યા છે. ભલે બંને તેમના રોમાંસ વિશે કઈ બોલવા તૈયાર નથી. જો કે એવી પણ અફવા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ત્યારે 'શેરશાહ' અભિનેતાએ આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.


આવતા વર્ષે લગ્ન કરીશ: સિદ્ધાર્થ મલ્હોત્રા


સિદ્ધાર્થ જે તેની આગામી ફિલ્મ 'મિશન મજનુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેને રેડિયો ફિવર એફએમના આરજે સુપ્રિયાએ લગ્નની આ અફવા વિશે પૂછ્યું. જેના પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ હસીને કહ્યું કે, હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું. બીજી તરફ, સિદ્ધાર્થના આ જવાબથી ફેન્સ મૂંઝવણમાં છે કે શું અભિનેતાએ તેના લગ્નની પુષ્ટિ કરી છે.






ચંદીગઢમાં વેન્યુ સર્ચ કરવાની ખબરો


અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે કપલ ચંદીગઢમાં લગ્ન માટે સ્થળ શોધી રહ્યું છે. અહેવાલો અનુસાર કિયારા-સિદ્ધાર્થે તેમના લગ્ન માટે ઓબેરોય સુખવિલાસ સ્પા એન્ડ રિસોર્ટ નામની લક્ઝરી પ્રોપર્ટીનો સંપર્ક કર્યો હતો. ચંદીગઢમાં આ વૈભવી મિલકત એ જ સ્થાન છે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.


સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મો


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રાની 'મિશન મજનૂ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, તેની પાસે દિશા પટણી અને રાશિ ખન્ના સાથે 'વોરિયર' પણ છે. આ સિવાય સિદ્ધાર્થ પાસે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' પણ પાઇપલાઇનમાં છે. આ સિરીઝમાં તે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળશે.