Swara Bhasker Wedding Reception: બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સતત તેના પ્રી-વેડિંગ ફંક્શનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રી હલ્દીમહેંદી અને સંગીતના ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છેજ્યારે ફહાદ અહેમદ પણ દરેક ફંક્શનમાં તેની સાથે જોવા મળે છે. આજે એટલે કે 16 માર્ચ સ્વરા માટે વધુ ખાસ છે. સ્વરા અને ફહાદ આજે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન આપવાના છે.


લગ્નના રિસેપ્શન કાર્ડની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


સ્વરા ભાસ્કરના પિતા ઉદય ભાસ્કરે સોશિયલ મીડિયા પર લગ્નના રિસેપ્શન માટેનું આમંત્રણ પોસ્ટ કર્યું છેજેમાં દિવસસ્થળ અને સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વેડિંગ રિસેપ્શન દિલ્હીના એરફોર્સ ઓડિટોરિયમમાં યોજાશેજેમાં પરિવાર ઉપરાંત ખાસ મિત્રો અને બોલિવૂડની કેટલીક હસ્તીઓ પણ હાજરી આપવાના છે. ફહાદ રાજનીતિ સાથે સંબંધિત છેતેથી આશા છે કે રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ આ વેડિંગ રિસેપ્શનમાં મહેમાન બનીને અહીં પહોંચશે.


પ્રી-વેન્ડિંગ ફંક્શનની તસવીરો સતત આવી રહી છે


તમને જણાવી દઈએ કે 2019માં પ્રોટેસ્ટ દરમિયાન સ્વરા ભાસ્કર ફહાદ અહેમદને મળી હતી અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ આ અંગે કોઈને કોઈ સુરાગ નહોતા મળી શક્યા. 6 જાન્યુઆરીએ અભિનેત્રીએ ફહાદ સાથે લગ્ન નોંધાવ્યા હતાત્યારબાદ સ્વરાએ ફોટા દ્વારા ખુલાસો કર્યો હતો કે તેણે લગ્ન કરી લીધા છે. આ સિક્રેટ વેડિંગે બધાને ચોંકાવી દીધા હતા પરંતુ આ સુંદર કપલ બધાએ પસંદ આવ્યું હતું.


દિલ્હીમાં યોજાનારા સ્વરા ભાસ્કરના વેડિંગ રિસેપ્શનની તસવીરોને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફંક્શનમાં સ્વરા કઈ જોડી પહેરશેતેનો મેક-અપ કેવો હશેઆ બધી બાબતોને લઈને ફેન્સમાં ઉત્તેજના છે. તમને જણાવી દઈએ કસ્વરાનું સાસરું બરેલીના બહેડીમાં છે અને અહીં પણ તેના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. રિસેપ્શન 19 માર્ચે બરેલીમાં યોજાવા જઈ રહ્યું છે.






Rakhi Sawant On Adil: રાખી સાવંત પતિને જેલમાંથી બહાર જોવા માંગે છે, આદિલને કર્યો આ મેસેજ, કહ્યું- ફરીથી ઘર સેટલ કરશે કે નહીં!


 


Rakhi Sawant On Adil Khan Bail'બિગ બોસ'માં એન્ટરટેનમેન્ટ તડકો લગાવનાર રાખી સાવંત તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. રાખીએ ખુલાસો કર્યો કે તે ઈચ્છે છે કે તેના પતિ આદિલ ખાન દુર્રાનીને મૈસુર કોર્ટમાંથી જામીન મળે. રાખીનો પતિ લાંબા સમયથી મૈસુર જેલમાં બંધ છે. તેની સામે છેતરપિંડી અને બળાત્કાર સહિતના અનેક આરોપો છે. રાખી કહે છે કે તે આદિલને માફ કરી શકશે નહીંપરંતુ તે ઈચ્છે છે કે રમઝાન પહેલા આદિલને જામીન મળી જાય.


રાખી સાવંત આદિલની રિલીઝ ઈચ્છે છે


રાખી સાવંત ગત રોજ એરપોર્ટ પર જોવા મળી હતી. પાપારાઝી સાથે વાત કરતી વખતે રાખીએ આદિલને જામીન આપવાની વાત કરી હતી. રાખીએ કહ્યું, “રમઝાન આવી રહી છે. જ્યારે હું નમાઝ અદા કરી રહી હોય  ત્યારે મને લાગ્યું કે રમઝાન દરેકને માફ કરવાનો પવિત્ર મહિનો છે. મને લાગે છે કે હું આદિલને ક્યારેય માફ કરી શકીશ નહીંપરંતુ હું ઈચ્છું છું કે તેને મૈસુર કોર્ટમાંથી જામીન મળે. હું તેની માટે સારી પત્ની હતીપરંતુ તેણે મારું જીવન બરબાદ કરી દીધું. મારે તેને આટલો પ્રેમ ન કરવો જોઈતો હતો."