અનુરાગ કશ્યપ પર ફરિયાદ નોંધાયા બાદ આ હૉટ એક્ટ્રેસ બોલી- જો દોષી નીકળશે તો બધા સંબંધો તોડી નાંખીશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2020 11:57 AM (IST)
મીટૂના આરોપો ઝીલી રહેલા અનુરાગને લઇને હવે એક્ટ્રેસ તાપસી પન્નૂએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેને અનુરાગ કશ્યપનો સાથ આપ્યો છે અને પાયલના આરોપોની નિંદા કરી છે
ફાઇલ તસવીર
મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર ગઇકાલે એક્ટ્રેસ પાયલ ઘોષે જાતિય શોષણ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે. અનુરાગ કશ્યપ પર ફરિયાદ નોંધાયા બાદ બૉલીવુડમાં હડકંપ મચી ગયો છે. મીટૂના આરોપો ઝીલી રહેલા અનુરાગને લઇને હવે એક્ટ્રેસ તાપસી પન્નૂએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેને અનુરાગ કશ્યપનો સાથ આપ્યો છે અને પાયલના આરોપોની નિંદા કરી છે. અભિનેત્રી તાપસી પન્નૂએ મુંબઇ મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું અનુરાગ કશ્યપનુ મજબૂતીથી સમર્થન કરે છે, તેને કહ્યું અનુરાગ મહિલાઓનુ ખુબ સન્માન કરે છે, ક્યારેય કોઇની સાથે જબરદસ્તી કે ગેરવર્તણૂંક નથી કરતા, ભલે તે શખ્સ સાર્વજનિક રીતે તેના માટે દયાળુ ના હોય, તેની ક્રૂ મેમ્બર ટીમમાંથી મહિલાઓની સંખ્યા પુરુષોના બરાબર છે, અને જો કોઇનુ શોષણ કરવામાં આવ્યુ છે, તો તેમને તપાસ શરૂ કરવા દો, સત્યા સામે આવવા દો. તાપસીએ આગળ કહ્યું કે, જો તે દોષી નીકળે છે તો હું તેની સાથે સંબંધો તોડવાવાળી પહેલી શખ્સ હોઇશ. પરંતુ તપાસ અધુરી છે તો મીટૂ આંદોલનની પવિત્રતા કેવી રીતે બની રહી શકશે? દમનના વર્ષો બાદ અમારી પાસે એક શક્તિથી એક સાચા પાડિતને લાભ કેવી રીતે થશે? મહિલાઓને આંદોલનના પાટા પરથી ઉતરવુ ખોટુ છે, શક્તિનો દુરપયોગ લિંગ આધારિત નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ