Tunisha Sharma And Sheezan Mohammed Khan: ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમર વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવનાર તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે અને હવે આ દરમિયાન અભિનેત્રી સાથે કામ કરનાર અને તેની નજીકના અભિનેતા  શીઝાન  મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. 


માતાના કહેવા પર FIR નોંધવામાં આવી હતી


સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તુનિષા શર્મા લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી અને તેથી જ અભિનેત્રીના મોતનું કારણ  શીઝાન મોહમ્મદ ખાનને બતાવવામાં  આવી રહ્યો છે. આ પછી, તુનિષા શર્માની માતાની ફરિયાદ પછી, અભિનેતા વિરુદ્ધ વાલિવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 306 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વખતે માત્ર વીસ (20) વર્ષની નાની ઉંમરે અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની ફિલ્મી વર્તુળોમાં ભારે ચર્ચા છે.


આ સાથે સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે જ્યાં તુનિષા શર્મા તેની સારવાર કરાવી રહી હતી ત્યાં તેની સારવાર કરનાર ડોક્ટરે અભિનેત્રીની માતાને જાણ કરી હતી કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને તેને આત્મહત્યાના વિચારો પણ આવી રહ્યા છે. આ પછી, તુનિષાની માતાએ શીઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી અને અને હવે પોલીસે શરૂઆતથી જ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.


તમને જણાવી દઈએ કે શીઝાન મોહમ્મદ ખાનના કેટલાક મિત્રો પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા છે અને પોલીસ આ મામલે અભિનેતાની પૂછપરછ કરી રહી છે.  


ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, તુનિષા ચાના બ્રેક દરમિયાન ટોઇલેટમાં ગઈ હતી અને લાંબા સમય સુધી બહાર નીકળી ન હતી તો દરવાજો તોડવામાં આવ્યો હતો. તુનિષાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાલિવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કૈલાશ બર્વેએ જણાવ્યું કે તેમને તુનિષા શર્માની આત્મહત્યાની માહિતી મળી છે.