ગેરકાયદેસર બાંધકામ મામલે કપિલ શર્મા અને ઈરફાન ખાનને કોર્ટે આપી રાહત
abpasmita.in | 24 Nov 2016 09:02 PM (IST)
NEXT PREV
મુંબઈ: અભિનેતા કપિલ શર્મા અને ઈરફાન ખાનને ગોરેગાવ સ્થિત ડીએલએફ ઈન્કલેવ બિલ્ડીંગમાં પોતાના ફ્લેટમાં બીન અધિકૃત નિમાર્ણ મામલે બોમ્બે હાઈકોર્ટ બે સપ્તાહ માટે રાહત આપી છે. મુંબઈ મનપા તરફથી બંને અભિનેતાને આ મામલે નોટીસ આપી હતી. આ મામલો તેમણે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મુંબઈ મનપા તરફ આપવામાં આવેલા નોટીસમાં કપિલ શર્મા અને ઈરફાન ખાન પર પોતાના ફ્લેટમાં બીન અધિકૃત નિર્માણ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. જેને મનપાના અધિકારીઓએ તોડવાનો આદેશ કર્યો હતો. કપિલ શર્મા અને ઈરફાન ખાન સહિત ડીએલએફ ઈન્કલેવના એક સદસ્યએ હાઈકોર્ટમાં અપિલ કરી હતી. અદાલતે આ મામલે અરજી કર્તાને બે સપ્તાહ સુધી રાહત આપતા કહ્યું કે બે સપ્તાહ સુધી બિલ્ડીંગમાં ન કોઈ નિર્માણ કરવામાં આવે કે ન કોઈ બદલાવ કરવામા આવે.