‘ઝિરો’ ફિલ્મમાં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં શાહરૂખ સામે નોંધાઈ ફરિયાદ, જાણો વિગત
મુંબઈઃ દિલ્હીના અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ શાહરૂખ ખાન અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મનજિંદરે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ઝીરો’માં શીખોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનજિંદર સિંહ સિરસાને ઝીરોના કયા સીન પર વાંધો છે તે જાણી શકાયું નથી. આ ફિલ્મમાં શાહરૂખે બૌઆ સિંહ નામના એક ઠીંગણા છોકરાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં શાહરૂખના સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ઉપરાંત તિગ્માંશુ ધૂલિયા, બ્રિજેન્દ્ર કાલરા અને જીશાન અય્યૂબ જેવા કલાકારો પણ ફિલ્મનો હિસ્સો છે.
શાહરૂખના જન્મદિવસ 2 નવેમ્બરના દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને યુટ્યૂબ પર 7 કરોડથી વધારે લોકો જોઈ ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -