ભણસાલી પર હુમલા અંગે રાણી પદ્માવતીનું પાત્ર નિભાવી રહી દિપીકાએ તોડ્યુ મૌન
નવી દિલ્લી: બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન શુક્રવારે મારપીટ થઈ હતી. જયગઢ કિલ્લામાં ફિલ્મની શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ આવીને પ્રદર્શન કરીને ભણસાલીને લાફો માર્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.
પોતાના છેલ્લા ટ્વિટમાં દિપીકાએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે અમે એક બહાદુર અને શક્તિશાળી મહિલાને તેના મૂળ સ્વરૂપે દુનિયા સમક્ષ મૂકીએ.
બીજા ટ્વિટમાં તેણે લોકોને આશ્વાસન આપ્યું છે કે ઈતિહાસ સાથે આ ફિલ્મમાં કોઈ ચેડા કરવામાં આવ્યા નથી, કે નહિ થાય. હું પોતે રાણી પદ્માવતીનું પાત્ર ભજવી રહી છું અને કહું છું કે ઈતિહાસ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહિ કરવામાં આવે.
પોતાના પહેલા ટ્વિટમાં દિપીકાએ લખ્યું છે કે તે આ ઘટનાથી ઘણી દુખી છે.
હવે આ ઘટના પર ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્માવતીનું પાત્ર ભજવતી દીપિકા પદુકોણે પ્રતિક્રિયા આપી છે. દીપિકાએ ત્રણ ટ્વિટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે.
ફિલ્મમાં દિપીકા પદુકોણ ઉપરાંત રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
હોબાળો કરનારા સંગઠનનું કહેવું છે કે સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે આપત્તિજનક સિન બતાવ્યો છે. જે અલાઉદ્દીન ખિલજી સપનામાં રાણી પદ્માવતી સાથે છે. કરણી સેનાનો દાવો છે કે હકિકતમાં ખિલજી અને રાણી પદ્માવતીએ એકબીજાને સામસામે ક્યારેય જોયા નહોતા. અને આવા કોઈ સપનાનો ઈતિહાસમાં ઉલ્લેખ નથી. જો કે, ઈતિહાસકાર ઈરફાન હબીબ અનુસાર રાણી પદ્માવતીનું પાત્ર કાલ્પનિક છે.