પદ્માવત વિવાદ બાદ દીપિકાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું હવે આ કામ ક્યારેય નહીં કરે...
દીપિકાએ જણાવ્યું કે, કરણી સેનાની ધમકીઓ અને વિરોધ હોવા છતાં મારા પેરેન્ટ્સને વિશ્વાસ હતો કે હું પોતાને સંભાળી શકીશ. તેમણે મને અને મારી બહેનને સાચા અને ખોટા વચ્ચેનો ફરક શીખવાડ્યો છે, સત્ય સાથે ડટીને ઉભા રહેવાનું શીખવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાએ જણાવ્યું કે, સ્પેશિયલ સ્ક્રીનીંગ પછી હું સુવા જઈ રહી હતી ત્યારે મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલ પર વાત કરી. તેમણે કહ્યું કે, અમને તારા પર ગર્વ છે. તેમની ખુશી તેમના ચહેરા પર દેખાતી હતી.
જ્યારે દીપિકાને ફિલ્મમાં તેના ફેવરીટ સીન વિષે પુછવામાં આવ્યુ તો તેણે જણાવ્યું કે, મને ખીલજી અને રાવલ વચ્ચે થયેલી લડાઈ પસંદ આવી. બે લીડિંગ સ્ટાર્સ વચ્ચે આવી એક્શન સિક્વન્સ મેં પહેલા ક્યારેય નથી જોઈ. તમે જોશો કે, બન્ને જાણે વાસ્તવમાં લડી રહ્યા હતા.
એક ઈવેન્ટમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે આગળ પણ આ પ્રકારની ફિલ્મ કરશે? તેના પર તેણે જવાબ આપ્યં કે, આટલું બધું થયા બદા હવે ક્યારેય આવી ભૂમિકા નહીં કરે.
પદ્માવતને લઈને ચાલીરહેલ વિરોધને કારણે ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ ખૂબ જ પરેશાન છે. કરણી સેના દ્વારા પ્રદર્શન કર્યા બાદ ફિલ્મની રિલીઝ ડેટ 1 ડિસેમ્બરથી વધારીને 25 જાન્યઆરી કરવામાં આવી હતી. હવે ફિલ્મઈને લઈને ચાલેલ આટલા બધા વિવાદ બાદ દીપિકા પાદુકોણે કહ્યું કે તે ક્યારેય ઐતિહાસિક પાત્રની ભૂમિકા નહીં ભજવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -