મુંબઈ: બોલીવુડના ડાયરેક્ટર અને ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ ટ્વીટરના માધ્યમથી સર્જિકલ સ્ટ્રાઈક મામલે  દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. રામગોપાલ વર્માએ કહ્યું આપ પાર્ટીએ નામ બદલીને પાપ રાખી લેવું જોઈએ. અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રામુએ જય અલ્લાહ કેજરીવાલ પણ લખ્યું હતું. રામગોપાલ વર્માનું આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે થોડા દિવસો પહેલા એક વીડિયો સંદેશમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પૂરાવા રજૂ કરવાની માંગ કરતા તેના પર ટ્વીટ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના સંદેશમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીને સલામ કર્યું હતું, સાથે કેજરીવાલે પાકિસ્તાનને ખોટા પ્રચારને ખતમ કરી સર્જિકલ સ્ટ્રાઈકના પૂરાવા રજૂ કરવાની માંગ કરી હતી.