આ ગુજરાતી સિંગરનું ગીત સાંભળી રડી પડ્યા હતા રાજકપૂર, પ્રથમ નજરમાં જ એરહોસ્ટેસ સાથે થયો હતો પ્રેમ
આ સમયગાળા દરમિયાન પંકજના ત્રણ આલ્બમ રિલીઝ થયા અને ગાયકી દુનિયામાં તેઓ જાણીતા થઈ ગયા. જે બાદ તેમણે ફરીદાના પપ્પા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. જેને ફરીદાના પિતાએ માન્ય રાખ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.
રાજકપૂર અને પંકજ ઉધાસનો એક કિસ્સો જાણીતો છે. ‘ચિઠ્ઠી આઈ હૈ...’ ગીતના રિલીઝ પહેલા એક મિત્રએ રાજકપૂરને ડિનર માટે ઘરે બોલાવ્યા હતા અને તેમણે પંકજ ઉધાસનું આ ગીત વગાડ્યું. ગીત સાંભળીને રાજ કપૂરની આંખોમાં આંસુ ગાવી ગયા હતા.
સુનીલ ગાવસ્કર સાથે પંકજ ઉધાસ.
સંજય દત્તની ફિલ્મ ‘નામ’માં ફિલ્માવવામાં આવેલું ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ...’ દ્વારા તેમને વિશેષ ઓળખ મળી. 32 વર્ષ બાદ આજે પણ પંકજ જ્યારે આ ગીત ગાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી જાય છે.
પંકજ ઉધાસે 70ના દાયકામાં પ્રથમ વખત એરહોસ્ટેસ ફરીદાને જોઈ હતી અને પ્રથમ નજરમાં જ દિલ દઈ બેઠા હતા. તે સમયે પંકજ ગ્રેજ્યુએશન કરતા હતા. ધીમે ધીમે બંનેમાં મિત્રતા થઈ અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.
પંકજ ઉધાસે જીવનનું પ્રથમ ગીત મોટાભાઈ મનહર ઉધાસ સાથે સ્ટેજ પરથી ગાયું હતું. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે ‘એ મેરે વતન કે લોગો...’ ગાયું. જે ત્યાં હાજર લોકોને ઘણું પસંદ આવ્યું. તેમનું ગીત સાંભળી એક દર્શકે તેમને ખુશ થઈને 51 રૂપિયા આપ્યા હતા. જે તેમની પહેલી કમાણી હતી.
મુંબઈઃ બોલિવૂડના સિંગર અને ગજલ કિંગના નામથી જાણીતા પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના રાજકોટ નજીકના જેતપુરમાં થયો હતો. આજે તેઓ 67 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે સંકળાયેલી કેટલીક અજાણી વાતો જણાવી રહ્યા છીએ.