હૉલીવુડ એક્ટ્રેસ રંગાઈ ભારતીય સંસ્કૃતિમાં, યૂપીની શાળામાંથી દતક લીધુ બાળક, જુઓ તસવીરો

નવી દિલ્લી: દર વર્ષે ભારતમાં ફરવા માટે ઘણા બઘા સહેલાણીઓ આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિને નજીકથી સમજવાનો હોય છે. હાલની વાત કરવામાં આવે તો યૂપીના વ્રજ વિસ્તાર હૉલીવુડની ફેમસ એક્ટ્રેસ મૈરી એગરોપોલોઝ પહોંચી ગઈ છે.
હૉલીવુડ અભિનેત્રીનો મુખ્ય ઉદ્દેશ ભગવાન કૃષ્ણને નજીકથી જાણવા અને આ સાથે જ સોશ્યલ વર્કના માધ્યમથી લોકોની મદદ કરવનો છે.
ઉલ્લેખનીય છે કે મૈરી એગરોપોલોઝ કેનેડાની મશહૂર અભિનેત્રીમાંની એક છે, જે હૉલીવુડ ફિલ્મ sci-fi સીરીઝ માટે જાણીતી છે. પોતાની ભારત યાત્રા દરમિયાન મૈરી મથુરાના સંદીપન મનુ સ્કૂલ પહોંચી હતી. જ્યાં તેણે બાળકો સાથે સમય પસાર કર્યો હતો.
ફૂડ ફોર લાઈફ સંસ્થા દ્વારા ગરીબ બાળકો માટે ચલાવવામાં આવતી આ સ્કૂલમાં પહોંચ્યા બાદ હૉલીવુડ અભિનેત્રીએ સ્કૂલના એક બાળકને દતક પણ લીધુ હતું. મૈરી દતક લીધેલા બાળકને ભણાવવા માટેનો તમામ ખર્ચ ઉઠાવશે.
તેણે કહ્યું તે નાની હતી ત્યારથી ઈચ્છતી હતી કે તે ભગવાન કૃષ્ણ અને ભારત વિશે જાણું મારૂ આ સપનુ ફૂડ ફોર લાઈફ સંસ્થા દ્વારા પૂર્ણ થયું. આ દરમિયાન મૈરીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર શાળાના બાળકો સાથેની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.