Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, ડોકટરોએ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, શેફાલીના કાર્ડિયાક અરેસ્ટનું કારણ સેલ્ફ મેડિકેશન હોઇ શકે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૂપર હોસ્પિટલના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટરોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ મૌખિક રીતે તેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવી આશંકા અંગે જાણ કરી છે.
શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર દવાઓ લઈ રહી હતી
આ કેસની તપાસ દરમિયાન, પોલીસે અત્યાર સુધીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતાપિતા સહિત 12 લોકોના નિવેદનો નોંધ્યા છે. બધાએ સ્પષ્ટ કર્યું છે કે શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે કોઈ પર કોઈ પણ પ્રકારની આશંકા વ્યક્ત કરી નથી.
પોલીસે શેફાલીના ફ્રિજ અને ટેબલના ડ્રોઅરમાંથી ઘણી દવાઓ જપ્ત કરી છે, જેમાં ગ્લુટાથિઓન કેપ્સ્યુલ્સ, પાન ડીએસઆર, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સ્યુલ્સ, હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંથી કેટલીક દવાઓ ડોક્ટરની સલાહ વગર લઈ રહી હતી.શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા ફ્રિજમાંથી વાસી ભાત ખાધા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી નોકરાણીએ તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાંથી બચેલા વઘારેલા ભાત ખાધા હતા અને પછી એન્ટિ-એજિંગ ઇન્જેક્શન લીધા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ કાવતરું કે ગુનાહિત એંગલ બહાર આવ્યું નથી, પરંતુ આ કેસ એક સેલિબ્રિટી સાથે સંબંધિત હોવાથી, મુંબઈ પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.શેફાલીના મૃત્યુએ સેલ્ફ મેડિકેશન કેટલું ખતરનાક હોઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.