છુટાછેડાના 4 વર્ષ બાદ ઋત્વિક-સુજૈને કર્યો વેકેશન ટ્રિપનો પ્લાન, જાણો ક્યાં જઇ રહ્યાં છે બન્ને ફરવા?
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, 22 માર્ચે બન્ને ગોવા માટે રવાના થઇ શકે છે, ત્યાં ઋત્વિક રોશન અને સુજૈન ખાન બન્ને થોડાક દિવસો એકસાથે વિતાવશે. જો બધુ યોગ્ય રહેશે તો બન્ને ફરીથી લગ્ન પણ કરી શકે છે કેમકે અન્ય એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બન્ને વચ્ચે હવે બધુ ઠીકઠાક થઇ ગયું છે. બન્ને વચ્ચેનું અંતર પુરાઇ ગયું છે અને બન્ને પરિવારોની પણ ઇચ્છા આ જ છે.
ઋત્વિક રોશન અને સુજૈન ખાનના બન્ને બાળકો તલાક બાદ પોતાના માતા-પિતા સાથે નથી રહી શકતા. તો બની શકે કે આ કારણે પણ બન્ને પાછા ભેગા થવાનું વિચારી શકે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે તો ગોવાથી પરત ફર્યા પછીજ સ્પષ્ટ થઇ શકશે.
ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ લાગે છે કે, ઋત્વિક રોશન અને સુજૈન ખાનની વચ્ચે ધીમે ધીમે બધુ બરાબર થઇ રહ્યું છે. તેમની ગાડી પાટા પર આવી રહી છે, કેમકે ચાર વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બન્ને બાળકોની સાથે ગોવા વેકેશન ગાળવા જઇ રહ્યાં છે.
ઋત્વિક રોશન અને સુજૈન ખાન આ બન્ને હંમેશા બાળકોની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે, જોકે, લગભગ 4 વર્ષના લાંબા સમય બાદ પહેલીવાર બન્ને એક ટ્રિપ પ્લાનમાં જઇ રહ્યાં છે.
મુંબઇઃ વર્ષ 2014માં એક્ટર ઋત્વિક રોશન અને સુજૈન ખાનના છુટાછેડા થયા હતા, હવે રિપોર્ટ એવા છે કે બન્ને કેટલીક જગ્યાએ એકસાથે જોવા મળી શકે છે. બન્નેએ વેકેશન પ્લાન બનાવ્યા છે, જે અંતર્ગત સાથે રજાઓ ગાળવા જઇ શકે છે.