નવી દિલ્હીઃ જમાઈ રાજા ફેમ નાના પડદાની હોડ એેન્ડ બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા દિવાળી ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિવાળી પર તે એક પાર્ટીમાં ગઈ હતી, જ્યાં તેનો સુંદર લહેંગામાં એક દીવાને લીધે આગ લાગી ગઈ હતી. આગ પર તરત જ કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ તેનો લહંગો થોડો સળગી ગયો હતો. નિયા શર્મા બિલકુલ સુરક્ષિત રીતે બચી ગઈ.


નિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે આ જાણકારી શેર કરી. નિયાએ જણાવ્યું કેવી રીતે એક નાનકડો દીવો મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેણે સળગેલા લહેંગાની તસવીર પણ શેર કરી છે. નિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, એક દીવાની શક્તિ. એક સેકન્ડમાં આગ લાગી ગઈ… હું ઘણા લેયરનો લહેંગો પહેર્યો હોવાના કારણે બચી ગઈ, કંઈ પણ થઈ શકતું હતું.



ઉલ્લેખનીય છે કે નિયા શર્મા એકતા કપૂરના શો નાગિનની ચોથી સીઝનમાં જોવા મળશે. તે ઈચ્છાધારી નાગિનના રૂપમાં જોવા મળવાની છે. નાગિનની સીઝન 1 અને 2માં મૌની રોયએ નાગિનનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે સુરભિને સીઝન 3માં જોવાઈ હતી.