નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ છેલ્લાં ઘણાં દિવસથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. 27 મેના રોજ સસરા વિરૂ દેવગનનું નિધન થયું હતું. ત્યાર બાદ માતા તનુજા મુખર્જી બીમાર થઈ ગયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હીત જેના કારણે તેમની સર્જરી કરવામાં આવી છે. સર્જરીના ઘણાં દિવસ બાદ કાજોલો માતાની તસવીર શેર કરી છે જેમાં તે ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે.


કાજોલે જે તસવીર શેર કરી છે તેમાં કાજોલ માતાના ખભા પર માથું રાખ્યું છે તો દીકરીને પાસે જોઈને માતા પણ ખુશ છે. તસવીરમાં તનુજાને ખૂબ જ નબળાઈ હોય એવું લાગી રહ્યું છે. તેમને જોઈને તે સ્પષ્ટ થાય છે કે તેમનું વજન પહેલા કરતાં ઘણુ ઓછુ થઈ ગયું છે.



કાજોલે જે તસવીર શેર કરી છે તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું બધાનો આભાર માનવા માગુ છું. જેણે અમારા માટે પ્રાર્થના કરી. આ સ્મીત તમે જે જોઈ રહ્યા છો તે સાચો આભાર છે’.

તનુજાની ઉંમર 75 વર્ષ છે. તે નાની દીકરી તનીષા સાથે મુંબઈમાં રહે છે. તનુજા પોતાના સમયમાં એક જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેણે બોલિવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તનુજા મેમદીદી, ચાંદ ઔર સૂરજ, બહારે ફિર ભી આયેગી, જ્વેલ થીફ, નઈ રોશની, જીને કી રાહ, હાથી મેરે સાથી, અનુભવ, મેરે જીવન સાથી અને દો ચોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.