કપિલ શર્મા-સુનિલ વચ્ચેનો જંગ વકર્યો, જાણો કપિલે કોને કોને કર્યા ટ્વિટર પર અનફોલો ?
બીજી બાજુ ડોક્ટ મશૂર ગુલાટી અને રિંકુભાભીના પાત્રમાં સુનીલ અલગ-અલગ જગ્યાએ પરફોર્મ કરી રહ્યો છે. દિલ્લીમાં લાઈવ શો, ઉપરાંત ઈંડિયન આઈડલના ગ્રાંડ ફિનાલેમાં પણ પરફોર્મ કર્યુ હતું.
શનિવારે કપિલે અલી અને ચંદનને ટ્વિટર પર અનફોલો કરી દીધા છે. જેથી હવે આ કલાકારો અને કપિલ વચ્ચે સમાધાનની કોઈ શક્યતાઓ નથી. આ એક મહિનામાં ધ કપિલ શર્મા શોની ટીઆરપી પણ ઘણી ઘટી ગઈ છે. યુટ્યુબ પર પણ કપિલના શોને ઘણા અનલાઈક મળ્યા છે. સુનીલને શોમાં પાછા લાવવાનો કપિલના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. કલાકારો ઓછા હોવાના કારણે કપિલે શોનું શૂટિંગ બે વાર કેંસલ કર્યુ હોવાને કારણે હવે ફિલ્મ સ્ટાર્સ પણ શોમાં આવતા વિચારે છે. તેમજ અહેવાલો છે કે સુનીલ સોની ચેનલ સાથે બીજો શો લાવવાની તૈયારી કરી રહ્યા છે.
તેમજ કપિલ શર્માની પિંકી બુઆ એટલે કે ઉપાસના સિંહ પણ તેની ટીમમાં પાછી આવી છે. કપિલે તેની સાથે એક એપિસોડ શૂટ પણ કરી લીધો છે. ઉપાસનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સુનીલ અને કપિલ વચ્ચે સંબંધ સુધરશે.
નવી દિલ્લી: દેશના નંબર વન કોમેડિયનમાં સ્થાન પામનાર કપિલ શર્માએ ક્યારેય નહિ વિચાર્યુ હોય કે એક ભૂલ કેવી મુશ્કેલી ઉભી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાથી પાછા આવતા કપિલ અને સુનીલનો કથિત ઝઘડો થયો હતો ને કહેવાય છે કે કપિલે સુનીલ પર ચપ્પલ ફેંક્યું હતું. અને ટીમના અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તન કર્યુ હતું. આ ઝઘડા બાદ કપિલ અને સુનીલે એકબીજાને ટ્વિટર પર અનફોલો કરી દીધા હતા. ઝઘડા પછી સુનીલની સાથે-સાથે નાનીનું પાત્ર ભજવતા અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધી મિશ્રાએ શોના શૂટિંગમાં આવતા નહોતા.