આજે વાત કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જે વર્ષ 2008થી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ ટીવી સિરિયલમાં એક કરતા વધુ પાત્રો જોવા મળે છે. આજે અમે એવા જ એક પાત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હવે આ સીરિયલનો ભાગ નથી પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ ચાહકોમાં અકબંધ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી દિશા વાકાણીની જે આ ટીવી સિરિયલમાં 'દયા બેન'ના રોલમાં જોવા મળી હતી. જો કે, વર્ષ 2017માં પ્રેગનેન્સી લીવ પર ગયા પછી દિશા હજી સુધી સીરિયલમાં જોવા નથી મળી. 
 
કહેવાય છે કે, સીરિયલના મેકર્સે દિશાનો ઘણી વખત સંપર્ક કર્યો હતો. જોકે, અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કમબેક કરવામાં રસ દાખવ્યો ન હતો. કહેવાય છે કે, સીરીયલના મેકર્સે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો દિશા આ સીરીયલમાં પરત ફરવા માંગતી નથી તો આ સીરીયલ નવી દયા બેન સાથે આગળ વધશે.


જો કે, સીરિયલના નિર્માતાઓને હજુ દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ઘરે-ઘરે ફેમસ થયેલી દિશા બહુ મોટી મિલકતની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાની નેટવર્થ (કુલ મિલકત) લગભગ 37 કરોડ રૂપિયા છે. આમાં ફિલ્મો-ટીવી સિરિયલો અને જાહેરાતો તેમજ અન્ય તમામ સ્ત્રોતોમાંથી થતી કમાણીનો સમાવેશ થાય છે.


તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ફક્ત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જ નહી પણ દેવદાસ, મંગલ પાંડે, જોધા અકબર અને લવ સ્ટોરી 2050 જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


આ પણ વાંચોઃ


કોણ છે Khesari Lal Yadavની એક્ટ્રેસ Meghashree? ભોજપુરીમાં ડેબ્યૂને લઇને થઇ રહી છે ચર્ચા