✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

#MeToo: આરોપ સાબિત થશે તો કિરણ રાવ સહિત 11 મહિલા નિર્દેશકો આવા લોકો સાથે કામ નહી કરે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Oct 2018 04:28 PM (IST)
1

ડિરેક્ટર્સ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, મહિલા અને ફિલ્મ નિર્માતાઓના રૂપમાં અમે #MeToo ઈન્ડિયા અભિયાનને અમારું સમર્થન આપવાનું નક્કી કર્યું છે. અમે એ મહિલાઓની સાથે એકજૂટ થઈને ઉભા છે, જે યૌન ઉત્પીડનના મામલાને લઈને પૂરતી ઈમાનદારીથી આગળ આવી છે.

2

આ નોટમાં લખવામાં આવ્યું છે કે, હવે આ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સના યૌનશોષણની વાતો રજૂ કરનારા લોકોનું સમર્થન કરવામાં અને આરોપ સાબિત થનાર કોઈ પણ વ્યક્તિની સાથે કામ ન કરવાનો અમે નિર્ણય લીધો છે. ઝોયા અખ્તર,કોંકણા સેન શર્મા, મેઘના ગુલઝાર, ગૌરી શિંદે, કિરણ રાવ, રીમા કાગતી અને નંદિતા દાસ જેવી મહિલા ડિરેક્ટર્સ તેમાં સામેલ છે. આ 11 ડિરેક્ટર્સે #MeToo અભિયાનને સમર્થન આપવાની પ્રતબદ્ધતા વ્યક્ત કરી છે.

3

મુંબઈ: સમગ્ર દેશમાં #MeToo કેમ્પેઈન બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બોલીવૂડમાં પણ નાના પાટેકરથી લઈને સાજિદ ખાન સુધીના લોકો પર આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે હવે બોલિવુડની મહિલા ડિરેક્ટર્સ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયા પર ફેમસ ડિરેક્ટર ઝોયા અખ્તરે તમામ ફિલ્મ મેકર્સ તરફથી એક નોટ શેર કરી છે. જેમાં આવી કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરવાની ના પાડી છે, જેના પર યૌનશોષણનો આરોપ લાગ્યા હોય અને તે સાચા સાબિત થયા હોય.

  • હોમ
  • મનોરંજન
  • #MeToo: આરોપ સાબિત થશે તો કિરણ રાવ સહિત 11 મહિલા નિર્દેશકો આવા લોકો સાથે કામ નહી કરે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.