✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું કપિલના શોમાં સુનીલ ગ્રોવર કરશે વાપસી? સિદ્ધુએ કર્યો મોટો ખુલાસો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 07:14 AM (IST)
1

સુનીલ કપિલનાં શો પર પરત આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતાં સિદ્ધુએ કહ્યું કે, સુનીલને જો આ વાતનો અહેસાસ થશે અને જ્યારે આમ થશે ત્યારે તે અને કપિલ તેનો ખુલા દિલે સ્વાગત કરશે. એટલું જ નહીં આ વખતે સુનીલને વધુ ઇજ્જત આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંને તેમનાં દિલની ખુબજ નજીક છે. તે હમેશાં ઇચ્છે છે કે તેઓ ફરી એક થઇ જાય. નવજોત સિંહ સિદ્ધુની વાતોથી તો આ જ અંદાજ લગાવવામાં આવે છે કે સુનીલ અને કપિલ ટૂંક સમયમાં સાથે આવે તો નવાઇ નહીં.

2

પંજાબ કેસરીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં સિદ્ધુએ કહ્યું કે, કપિલને તે તેમનો દીકરો માને છે અને તે તેનાં માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે, કપિલ ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તેને કપિલ અને સુનીલનાં ઝઘડાં અને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બંને તેમનાં ખુબજ નિકટ છે. તે આ બન્નેને સાથે જોવા માગે છે.

3

સુનીલના શોનું કંપેરિઝન અત્યારથી કપિલ સાથે થવા લાગ્યું. એક તરફ કપિલ શર્માનાં શોને ચાહકો તરફથી વાહવાહી મળી રહી છે. આ શો સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

4

મુંબઈઃ એક સમયે કોમેડી કિંગ કપિલ શર્માના સૌથી ખાસ સાથી રહેલ સુનીલ ગ્રોવર સ્ટાર પ્લસ પર પોતાના નવા શો ‘કાનપૂર વાલે સુરાનાજ’થી ટીવી પર વાપસી કરી ચૂક્યા છે. વિતેલા વર્ષે માર્ચમાં ફ્લાઈટમાં થયેલ લડાઈ બાદથી કપિલ અને સુનીલના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી જ ફેન્સ બન્નેના સાથે આવવાની રાહ જોઈ રહ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • શું કપિલના શોમાં સુનીલ ગ્રોવર કરશે વાપસી? સિદ્ધુએ કર્યો મોટો ખુલાસો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.