નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ નેહા પેંડસે પોતાના લગ્નને લઈને હાલમાં ચર્ચામાં છે. નેહાના ફેન્સ તેના લગ્નના અહેવાલ સાંભળીને ખૂબ જ ખુશ છે. પરંતુ ફરી એક વખત ચર્ચા ત્યારે શરૂ થઈ  જ્યારે તેના પતીની વિગતો સામે આવી.


નેહાએ હાલમાં સવાલોના જવાબ આપતા કહ્યું કે, તેના પતિ શાર્દુલ સિંહ વ્યાસના આ પહેલા બે લગ્ન થઈ ગયા છે. આ તેના ત્રીજા લગ્ન છે. પ્રથમ લગ્નથી તેને બે બાળકો પણ છે. શાર્દુલે મને બીજી કે ત્રીજી મીટિંગમાં જ કહ્યું હતું કે તે મને ડેટ કરવા માંગે છે.

નેહાએ શાર્દુલને જવાબ આપતા કહ્યું હતું કે, આપણે એકબીજાને નથી ઓળખતા અને ડેટિંગમાં વિશ્વાસ નથી રાખતી. શાર્દુલ 35નો છે અને હું 20. લોકો અમારા સંબંધોને લઈને વાતો કરે છે. લોકો શાર્દુલને લઈને પણ અનેક પ્રકારની વાતો કરે છે. તો હું પણ ક્યાં વર્જિન છું. હું ખુશ છું કે તેણે એક મહિલા સાથે પ્રેમ કર્યો અને નિર્ણય પણ લીધો.


નેહાએ શાર્દુલને લઈને કહ્યું હતું કે, મારા કેસમાં શાર્દુલ જેવુ નહોતુ. જ્યારે અમારા સંબંધો કાયમી બની રહ્યાં હતાં ત્યારે તે વ્યક્તિ જ ગાયબ થઈ ગયો. કમ સે કમ શાર્દુલે કમિટમેંત-ફોબિક તો નથી કર્યુ ને.

શું તે હંમેશા ખુશ રહી શકશે? તેનો જવાબ આપતા નેહાએ કહ્યું હતું કે, હું ઈમાનદારીથી કહુ તો કોઈને પણ તેના ભવિષ્ય વિષે નથી ખબર હોતી. હું પ્રેક્ટિકલ છું અને મારૂ માનવુ છે કે સારામાં સારા સંબંધો પણ ખરાબ થઈ શકે છે.