Box office પર ‘પદ્માવત’એ ધૂમ મચાવી, અત્યાર સુધીની કમાણીનો આંકડો જાણીનો ચોંકી જશો
આ ફિલ્મ 16મી સદીના કવિ મલિક મોહમ્મદ જાયસીની રચના ‘પદ્માવત’થી પ્રેરિત છે. શૂટિંગ સમયે જ ફિલ્મ વિવાદમાં ઘેરાઇ હતી. દેશભરમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે કરણી સેનાએ હિંસક પ્રદર્શન કર્યું હતું.
ભારતમાં પહેલા અઠવાડિયે પદ્માવતે 166.50 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા અઠવાડિયે 69.50 કરોડની કમાણી કરી હતી, ત્રીજા અઠવાડિયે 31.75 કરોડની કમાણી કરી લીધી અને ચોથા વિકએન્ડમાં ફિલ્મે 8.75 કરોડની કમાણી કરી હતી.
ભારતમાં ફિલ્મે રવિવારે 3.75 કરોડની કમાણી કરી હતી. સાથે જ ફિલ્મે પોતાના ચોથા વિકેન્ડમાં 8 કરોડની કમાણી કરી લીધી હતી. 25 દિવસમાં ફિલ્મે ભારતમાં 262.63 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું.
નવી દિલ્હીઃ સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતને રિલીઝ થયે એક મહિનાનો સમય થઈ યો છે પરંતુ આજે પણ ફિલ્મની કમાણી વધતી જ જઈ રહી છે. દેશ જ નહિં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 18 ફેબ્રુઆરી સુધીમાં આ ફિલ્મે 499 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે આ ફિલ્મે 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
બૉક્સ ઑફિસ પર ફિલ્મ પદ્માવત એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. ત્રીજા અઠવાડિયે ભારતમાં ફિલ્મની કમાણીનો આંકડો 260.75 કરોડને ક્રોસ કરી ગયો હતો અને ચોથા અઠવાડિયે ભારતમાં આ આંકડો 276.50 કરોડને પાર કરી ગયો છે. વર્લ્ડવાઇડ ફિલ્મે 499 કરોડની કમાણી કરી લીધી છે.