✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘પદ્માવતી’ ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે રૂપાણીએ કરી શું મોટી જાહેરાત? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2018 02:20 PM (IST)
1

ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે ત્યારે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.

2

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

3

‘પદ્માવતી’ સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજ અને ખાસ તો કરણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે લોકો આ ફિલ્મને રીલીઝ નહી થવા દઈએ. કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમણે તો રીલીઝ કરનારા થીયેટરને આગ લગાડવાની ચીમકી પણ આપી દીધી છે.

4

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ મંજૂરી આપતી હોય છે, પરંતુ ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તે સમયે કોઇ માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિવાદનો અંત આવી જશે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.

5

નવેમ્બરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને પદ્માવતી સામે વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ફિલ્મ પદ્માવતીને રીલીઝ નહીં કરવા દેવાય.

6

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ‘પદ્માવત’ અંગે પહેલાં જ આદેશ અપાઈ ચૂક્યો છે ને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ફિલ્મનું નામ ભલે બદલાય પણ વિષય એ જ હોવાથી ફિલ્મ રીલીઝ નહીં થાય. આ પહેલાં નવેમ્બરમાં પણ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય.

7

ગાંધીનગરઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’નું નામ બદલીને ‘પદ્માવત’ કરીને તેને રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ પણ રીલીઝ નહીં થાય. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકાર પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂકી છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘પદ્માવતી’ ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે રૂપાણીએ કરી શું મોટી જાહેરાત? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.