નવી દિલ્હી: ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા ( NSD)ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોતાની નિમણૂંક બાદ પરેશ રાવલે કહ્યું કે, કાર્ય પડકારજનક પરંતુ રસપ્રદ રહેશે.


એનએસડીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમને એ જાણ કરતા ખૂશી થાય છે કે, રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ અભિનેતા અને પદ્મશ્રી પરેશ રાવલને એનએસડીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. એનએસડી પરિવાર તેમનું સ્વાગત કરે છે. તેમના માર્ગદર્શનમાં એનએસડી નવી ઉંચાઈને આંબશે.”