નવી દિલ્લી:મેગાસ્ટાર અમિતાભ બચ્ચને જણાવ્યુ હતું કે જ્યારે તે વિદેશમાં જાય છે ત્યારે ત્યાંના લોકો ભારતને બળાત્કારની ભૂમિ કહે છે ત્યારે પોતાને ખૂબ જ દુખ થાય છે.અમિતાભ બચ્ચને કહ્યું આ સ્થિતિ દૂર થવી જોઈએ. ભારતીયોએ સાથે મળીને કામ કરવું જોઈએ જેથી દેશને દુનિયામાં શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકાય. દેશનો તમામ વિસ્તાર મહિલાઓ માટે સુરક્ષિત હોવો જોઈએ.