ઈડન ગાર્ડન ખાતે નુસરત સાથે તેમના પતિ નિખિલ જૈન પણ મેચ જોવા આવ્યા હતા. વર્ષ 2019માં નુસરત અને નિખિલે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે, હમણા જ નુસરત જહાંને કોલકતાની અપોલો હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે નુસરતને અસ્થમાં એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. જો કે તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે.
પ્રથમ દિવસે ભારતીય બોલરોએ પિંક બોલ સાથે રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ ઇનિંગમાં 30.3 ઓવરમા 106 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ 3 અને શમીએ 2 વિકેટ ઝડપી હતી.