મા આનંદ શીલાની બાયોપિક ‘શિલા’માં લીડ રોલ કરશે પ્રિયંકા ચોપરા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 10:13 PM (IST)
મા આનંદ શીલા 1981-1985 સુધી આધ્યાત્મિક ગુરુ રજનીશ એટલે કે ઓશોના અંગત સચિવ હતા.
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ જલ્દીજ એમેઝન સ્ટૂડિયોઝની બાયોપિક ફિલ્મ શીલામાં નજર આવશે. શીલામાં પ્રિયંકા ચોપરા મા આનંદ શીલાની ભૂમિકા ભજવશે. બાયોપિકને પ્રિયંકા કો-પ્રોડ્યૂસ પણ કરવાની છે. મા આનંદ શીલા નેટફ્લિક્સની ડોક્યૂસીરીઝ વાઈલ્ડ વાઈલ્ડ કંટ્રી થી ઘણી ચર્ચામાં આવી હતી, મા આનંદ શીલા 1981-1985 સુધી આધ્યાત્મિક ગુરુ રજનીશ એટલે કે ઓશોના અંગત સચિવ હતા. આ ફિલ્મને ઓસ્કર અવોર્ડ વિજેતા ડિરેક્ટર બેરી લેવિન્સન ડિરેક્ટ કરવાના છે. તે આધ્યાત્મિક સલાહકાર હતી અને તેના પર ઓરેગોનમાં 1984માં રજનીશ પર જૈવિક હુમલાનો આરોપ છે. તેઓ યુએસમાં થયેલ સૌથી મોટા બાયો-ટેરેરિસ્ટ અટેક માટે જવાબદાર હતા. યુએસના ઓર્ગનના વાસ્કો કાઉન્ટીમાં તેમણે આ ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે.આ કાંડને 1984 રજનીશ બાયોટેરર અટેક તરીકે ઓળખવામાં આવે છે. હુમલા બાદ તે યૂરોપ જતા રહ્યાં હતા. તેમણે હત્યાના પ્રયાસ અને હુમલામાં પોતાની ભૂમિકો હોવાનો ગુનો કબૂલ કર્યો હતો. દોષિત સાબિત થયા હતા અને 20 વર્ષની જેલની સજા થઇ હતી પણ 39 મહિના બાદ પેરોલ પર છોડી દેવામાં આવ્યા હતા.